ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે એક થિંક-ટેન્ક કાર્યક્રમમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઉભરતા સંભવિત વ્યૂહનૈતિક સહયોગને ભારત માટે મોટા જોખમ તરીકે આંક્યો. CDS ચૌહાણે કહ્યું કે આજે દેશને આંતરિક અને બાહ્ય બંને મોરચે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધી રહી છે અને અમેરિકા સહિત અનેક દેશોની ભૂમિકા વધુ જટિલ બની છે.
મજબૂત અર્થવ્યવસ્થા અને સામાજિક એકતા મહત્વની
તેમણે રાષ્ટ્રીય શક્તિના પાયામાં મજબૂત અને સ્થિર અર્થતંત્રને આવશ્યક ગણાવ્યું. “આર્થિક અને વ્યાપારિક સુરક્ષા સિવાય રાષ્ટ્રીય સુરક્ષા શક્ય નથી,” એમ તેમણે સ્પષ્ટ કહ્યું. તેઓએ પણ ઉલ્લેખ કર્યો કે ભારત જેવી બહુજાતીય અને બહુધાર્મિક રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સામાજિક એકતા અને આંતરિક શાંતિ ખૂબ જ આવશ્યક છે.
બાહ્ય જોખમોને ન્યૂનતમ કરવા આંતરિક મજબૂતી જરૂરી
CDS ચૌહાણે ચેતવણી આપી કે જો દેશ આંતરિક રીતે નબળો પડશે તો બાહ્ય ખતરા વધુ ઘાતક બની શકે. તેમણે ખાસ કરીને બાંગ્લાદેશની અસ્થિર રાજકીય પરિસ્થિતિ અને શેખ હસીનાના ભારતમા શરણ લેવાનું ઉદાહરણ આપ્યું.
‘ઓપરેશન સિંદૂર’ – યુદ્ધની નવી વ્યાખ્યા
તેમણે 2025માં થયેલા ‘ઓપરેશન સિંદૂર’નું ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતે પાકિસ્તાનની પરમાણુ ધમકીનો મક્કમ જવાબ આપ્યો હતો. આ એક સ્પષ્ટ સંદેશો છે કે હવે યુદ્ધ ફક્ત પરંપરાગત માધ્યમોથી નહીં, પરંતુ સાઇબર, ઇલેક્ટ્રોનિક, ડ્રોન અને હાઇપરસોનિક હથિયારો દ્વારા પણ લડાઈ લડી શકાય છે.
તેઓએ યુક્તિપૂર્વક જણાવ્યું કે ભારતે હવે દરેક યુદ્ધ મોરચા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે વિશ્વ પાસે હજુ સુધી આ નવા જોખમો સામે પૂરતી સંરક્ષણ વ્યવસ્થા નથી.

Leave a Reply