દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા

દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલી ગંભીરા નદી ઉપરના બ્રિજનો એક ભાગ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાએ રાજ્યની માળખાકીય સુવિધાઓ અંગે તંત્રની ગંભીર બેદરકારી અને જવાબદારીના અભાવને ફરીથી સ્પષ્ટ કર્યો છે.

દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો, જોકે કોપી-પેસ્ટ લેખે તે માત્ર ઔપચારિકતા પૂરતી લાગી રહી છે. લગભગ બધા નેતાઓએ એકસરખો મેસેજ કોપી-પેસ્ટ કર્યો હોવાને લીધે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીએ ‘X’ પર પોસ્ટ કરી, વિપક્ષે નિવેદનને ગણાવ્યું ‘લૂલો બચાવ’

મુખ્યમંત્રીએ એક્સ (હવે ટ્વિટર) પર લખ્યું હતું કે: “આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટી પડતાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”

વિપક્ષે આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીની આ પોઝીશન માત્ર શોક વ્યક્ત કરવાની છે, જવાબદારી સ્વીકારવાની નથી. ઘટના અંગે કોઈ ઘનિષ્ઠ તપાસ કે પગલા વિશે કોઈ ઉલ્લેખ ન હોવાનું જણાવાયું છે.

નેતાઓના નકલી સંદેશા પર લોકોભર્યા: સોશિયલ મીડિયા પર મજાક અને ટીકા

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યા બાદ પરષોત્તમ રૂપાલા, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત, ધવલ પટેલ, વિનોદ ચાવડા, વિશાલ ઠાકર, ભૂષણ અશોક ભટ્ટ, કલ્પેશ પટેલ સહિતના અનેક નેતાઓએ પણ એક સરખો શોક સંદેશ શેર કર્યો. શબ્દશઃ સમાન મેસેજ સોશિયલ મીડિયા પર જોઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો.

લોકોએ પ્રશ્ન કર્યો છે કે – “જ્યારે સામાન્ય નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે નેતાઓ માત્ર નકલમાર મેસેજથી કેમ દુઃખ વ્યક્ત કરે છે? શું નેતાઓમાં સંવેદના અને જવાબદારીનો અભાવ આવી ગયો છે?”

માળખાકીય બેદરકારી પર ફરી સવાલો ઊભા થયા

બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ગુજરાતમાં નિર્માણ અને જાળવણીના કામો અંગે તંત્રની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. શું આવા જુના અને ખતરનાક બ્રિજોની નિયમિત ચકાસણી થતી નથી? શું લોકોના જીવ પરતંત્રે ખેલ રમવા દીધો છે?

Leave a Reply

Your email address will not be published.