અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે.

એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું

એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,

“12 જુલાઈ 2025ના રોજ જાહેર કરાયેલા AAIBના પ્રારંભિક અહેવાલની અમને જાણકારી મળી છે. અમે તમામ નિયામકો અને હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને આગળની તપાસમાં પણ AAIB અને અન્ય સંબંધિત અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપતા રહીશું.”

વિમાની કંપનીએ કહ્યું છે કે તપાસ ચાલી રહી છે અને અમે ભવિષ્યમાં પણ દરેક જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ.

https://x.com/airindia/status/1943795808660599111

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

AAIB દ્વારા જાહેર કરાયેલા 15 પાનાના રિપોર્ટ અનુસાર, બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના બંને એન્જિન ટેકઓફ પછી થોડી સેકન્ડમાં બંધ થઈ ગયા હતા. ફ્યુઅલ સપ્લાય અટકવાથી વિમાનની થ્રસ્ટ ક્ષમતા ખતમ થઈ ગઈ હતી અને વિમાન નીચે ધકેલાયું હતું. અહેવાલમાં જણાયું છે કે બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ ‘RUN’ સ્થિતિમાંથી ‘CUTOFF’ પર ખસ્યા હતા. જોકે, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે અંગે હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બોઇંગે પણ સંવેદના વ્યક્ત કરી

વિમાન બનાવતી કંપની બોઇંગે પણ એક નિવેદન બહાર પાડી રહ્યું છે. તેમણે કહ્યું:

“એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના મુસાફરો અને ક્રૂ સભ્યોના પરિવારજનો તથા અમદાવાદમાં જમીન પર અસરગ્રસ્ત તમામ લોકોને અમારી દિલથી સંવેદના છે. અમે આ તપાસમાં તંત્રોને સહયોગ આપીશું અને અમારી ક્લાયન્ટ એર ઈન્ડિયાને ટેકો આપતા રહીશું.”

આ મામલો હજુ પણ તપાસ હેઠળ છે અને આ રિપોર્ટ માત્ર પ્રારંભિક છે. આગામી અહેવાલોમાં વધુ સ્પષ્ટતાઓ મળવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.