12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ બાદ થોડા જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 241 યાત્રીઓ સહિત કુલ 260 લોકોનાં મૃત્યુ થયા હતા. મોટા ભાગના મૃતદેહો એટલા બળી ગયા કે ઓળખ કરવી મુશ્કેલ બની. DNA ટેસ્ટના આધારે અવશેષોની ઓળખ કરી તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ખોટા અવશેષ મોકલાયા...
Month: July 2025
બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ...
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના...
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ
અમદાવાદ એરપોર્ટ પરથી દીવ જવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર ATR76 માં ટેકઓફના સમયે એન્જિનમાં અચાનક આગ લાગી. ફ્લાઈટમાં 60 મુસાફરો હાજર હતા. પાયલટે તરત જ આંતરિક વિમાની ટ્રાફિક નિયંત્રણ કેન્દ્ર (ATC) ને ‘મેડે’ કોલ આપ્યો અને પ્લેનનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું. ટેકઓફ પહેલાં જ રનવે પર ફ્લાઈટ રોલ થઈ ગઈ હતી રિપોર્ટ...
પાંચ વર્ષ પછી ચીનના પ્રવાસીઓ માટે ભારતના દરવાજા ખુલ્યા, 24 જુલાઈથી મળશે ટુરિસ્ટ વિઝા
સંબંધોને સુધારવાના ભાગરૂપે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 24 જુલાઈ 2025થી ચીનના નાગરિકોને ફરી પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો હતો, જેને પગલે ભારતે ચીનના નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધ મુક્યો હતો. હવે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે થતાં સંવાદ...
જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’
ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય....
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા”
લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના સતત હોબાળા વચ્ચે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી પૂર્વવત્ ચાલુ રહી શકી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અંગે ચર્ચા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં 28 જુલાઈ અને રાજ્યસભામાં 29 જુલાઈએ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે, જ્યાં...
ગુજરાત ATSને મળી મોટી સફળતા: અલકાયદા AQIS સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન અલકાયદાની ભારતીય શાખા AQIS (Al Qaeda in Indian Subcontinent) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપી લેવામાં આવેલા આરોપીઓમાંથી બે ગુજરાતના છે, જ્યારે બે દિલ્હી અને નોયડા વિસ્તારના હોવાનું ખુલ્યું છે. ATSના અધિકારીઓ મુજબ આ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને શંકાસ્પદ મોબાઈલ એપ્લિકેશનોનો ઉપયોગ...
મોરબીના તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીએ શિક્ષકને માર્યો, વાયરલ થયો વીડિયો
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક શિક્ષકે વિદ્યાર્થીને શિસ્ત માટે ઠપકો આપ્યો અને એક થપ્પડ મારી — પણ વાત એટલી પર જ અટકી નહીં. તરત જ વિદ્યાર્થી ઉશ્કેરાઈ...
અશોક ચૌધરી બન્યા GCMMFના નવા ચેરમેન, મહેસાણા અને રાજકોટનો દૂધિયા રાજકારણમાં દબદબો
ગુજરાતના દૂધિયા રાજકારણમાં આજે મહત્વપૂર્ણ પરિવર્તન નોંધાયું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) માટે યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મહેસાણા અને રાજકોટ ડેરીના નેતાઓએ દબદબો જમાવ્યો છે.mahસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અઢી વર્ષ માટે GCMMFના નવા ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી દૂધસાગર ડેરીના ચેરમેન છે અને...









