Month: July 2025

ભારે વરસાદમાં ટળી મોટી દુર્ઘટના, મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું એર ઇન્ડિયાનું વિમાન
Post

ભારે વરસાદમાં ટળી મોટી દુર્ઘટના, મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું એર ઇન્ડિયાનું વિમાન

મુંબઈમાં વરસતા વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. 21 જુલાઈના રોજ કોચીથી મુંબઈ આવી રહેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નંબર AI2744) મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસ્યું હતું. ભારે વરસાદ અને ભીના રનવેના કારણે વિમાનનું સંચાલન મુશ્કેલ બન્યું હતું. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે...

કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન
Post

કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદનનું તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને ગયા મહિને હૃદયરોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી કેરળના રાજકારણમાં એક યુગનો અંત થયો...

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓ સહીત અનેક નેતાઓની હાજરી
Post

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓ સહીત અનેક નેતાઓની હાજરી

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે દેશમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર આક્ષેપપ્રત્યાઆક્ષેપ થયા. પરંતુ આ તમામ રાજકીય ગરમાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ ભવનમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, આરોગ્ય...

પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ
Post

પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત...

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા
Post

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા

ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મીનાક્ષી લેખી તિબેટના દાર્ચિન વિસ્તારમાં યાત્રા દરમિયાન ઘોડા પરથી પડી ગયા હતા, જેના પરિણામે તેમની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર માટે તેમને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ઘટના પછી તિબેટથી...

ફિલ્મ ‘DON’ના દિગ્દર્શક ચંદ્રા બરોટનું 86 વર્ષની વયે અવસાન
Post

ફિલ્મ ‘DON’ના દિગ્દર્શક ચંદ્રા બરોટનું 86 વર્ષની વયે અવસાન

બોલીવૂડના જાણીતા દિગ્દર્શક ચંદ્રા બરોટનું રવિવાર, 20 જુલાઈ 2025ના રોજ 86 વર્ષની વયે મુંબઈના બાંદ્રા સ્થિત હોસ્પિટલમાં નિધન થયું. તેઓ છેલ્લા સાત વર્ષથી પલ્મોનરી ફાઈબ્રોસિસ નામની ગંભીર શ્વાસસંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના અવસાનના સમાચારથી ભારતીય ફિલ્મ જગતમાં દુઃખની લાગણી વ્યાપી છે. ચંદ્રા બરોટને સૌથી વધુ ઓળખ 1978ની આઇકોનિક ફિલ્મ ‘Don’ માટે મળી હતી, જેના...

ગુજરાતમાં કામની રાજનીતિનો ઉછાળો: વિરમગામમાં 100થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા
Post

ગુજરાતમાં કામની રાજનીતિનો ઉછાળો: વિરમગામમાં 100થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા

અમદાવાદના વિરમગામમાં આમ આદમી પાર્ટી (AAP) માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સર્જાઈ છે જ્યાં 100થી વધુ સામાજિક કાર્યકરોએ પાર્ટી સાથે જોડાણ કર્યું છે. AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના હસ્તે આ કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. આગેવાન પીન્ટુભાઈ સહિત અનેક સામાજિક અગ્રણીઓએ AAPની નીતિઓ અને કાર્યશૈલીથી પ્રભાવિત થઈને જોડાણ કરવાનું નક્કી કર્યું છે. ઈસુદાન...

ઉર્ફી જાવેદના હોઠના ઇન્જેક્શન બાદ મોં સોજાઈ ગયું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Post

ઉર્ફી જાવેદના હોઠના ઇન્જેક્શન બાદ મોં સોજાઈ ગયું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અત્યારે સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ લુક અને સ્ટેટમેન્ટ્સ માટે જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણી હોઠના ફિલર્સ ડિજોલ્વ (દૂર કરાવવાની) સારવાર લઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઇન્જેક્શન લીધા બાદ ઉર્ફીનું મોં સોજાઈ ગયું છે. ઉર્ફીનો કહેવું...

રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન
Post

રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન

ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ત્રણ આરોપીઓને જામીન મળતાં તપાસ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા છે. શિલોંગ પોલીસની તપાસ પર હવે સંશય વ્યક્ત થવા લાગ્યો છે, કારણ કે આરોપીઓ લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને હજી ચાર્જશીટ દાખલ થયા વિના જામીન મળ્યા છે. આ માહિતી મળતાં...

ઇન્ડોનેશિયામાં દરિયા વચ્ચે જહાજમાં લાગી ભીષણ આગ; 5નાં મોત,280થી વધુ મુસાફરો જીવ બચાવવા સમુદ્રમાં કૂદ્યા
Post

ઇન્ડોનેશિયામાં દરિયા વચ્ચે જહાજમાં લાગી ભીષણ આગ; 5નાં મોત,280થી વધુ મુસાફરો જીવ બચાવવા સમુદ્રમાં કૂદ્યા

ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી નજીક રવિવારે બપોરે એક ભયાનક મેરિટાઇમ દુર્ઘટના બની હતી, જ્યારે ‘KM Barcelona VA’ નામની ફેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે દરિયાની વચ્ચે જ જહાજમાં ફસાયેલા 280થી વધુ મુસાફરોને પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદવાનું પડ્યું જેમાં 5થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાનો સમય સ્થાનિક સમય...