કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 20 જુલાઈ, રવિવારે, અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે વેસ્ટર્ન મીડિયા દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સ્પષ્ટ વિલક્ષણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે. નાયડુએ એમ પણ જણાવ્યું કે, અગાઉના કેસોમાં વિમાન દુર્ઘટનાના...
Month: July 2025
રાજ ઠાકરેના નિવેદન સામે ગુજરાતીઓમાં ઉગ્ર રોષ, પાટીદાર સમાજ મેદાને
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદને ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તોફાન મચાવી દીધું છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તેમના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો છે, ખાસ કરીને પાટીદાર સમાજ અને ગુજરાતી સંગઠનો...
સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....
કેન્સરની સર્જરી બાદ દીપિકા કક્કરની વધી મુશ્કેલી, અભિનેત્રીએ શેર કર્યો અનુભવ
ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા કક્કર હાલ તેમની જીંદગીની સૌથી મુશ્કેલ લડત લડી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેમને સ્ટેજ 2 લીવર કેન્સર થયું છે અને થોડા દિવસો પહેલા તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે, તેમની સારવાર હજી પૂરી થઈ નથી અને સારવાર દરમિયાન તેમનું શરીર અનેક યાતનાઓમાંથી પસાર થઈ...
સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકાર તૈયાર: કિરેન રિજિજુ
ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આજે સંસદ ભવનમાં મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક મળી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મીડિયાને માહિતી આપી હતી કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પણ ચર્ચા સંસદના નિયમો હેઠળ થશે. બધા...
મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી vs હિન્દી ભાષા વિવાદ: મહિલાઓ વચ્ચે ઉગ્ર ઝઘડો, વિડિયો વાયરલ
મુંબઈમાં ભાષા પર આધારીત વિવાદ હવે લોકલ ટ્રેન સુધી પહોંચી ગયો છે. શુક્રવાર સાંજે સેન્ટ્રલ લાઇનની એક લોકલ ટ્રેનના મહિલા કોચમાં મહિલા મુસાફરો વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલીનો મામલો ઉગ્ર ભાષા વિવાદમાં ફેરવાઈ ગયો. ટ્રેનમાં ઝઘડો: ‘મરાઠી બોલો નહીં તો બહાર નીકળો’ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો મુજબ, એક મહિલા બીજી મહિલાને ચીમકી આપે છે:...
CEO એન્ડી બાયરનનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં રાજીનામું, અંગત જીવનમાં પણ ખલેલ
અમેરિકાની જાણીતી ટેક કંપની એસ્ટ્રોનોમર (Astronomer)ના CEO એન્ડી બાયરન (Andy Byron)એ રાજીનામું આપવાનું ફરજિયાત બની ગયું છે, જ્યારે તેમનો એક અશ્લીલ વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બોસ્ટનમાં કોલ્ડપ્લે (Coldplay)ના કોન્સર્ટ દરમિયાન બની હતી. ‘કિસ કેમ’ દ્વારા કાર્યક્રમમાં હાજર કપલ્સની હરકતો મોટા સ્ક્રીન પર બતાવવામાં આવી રહી હતી ત્યારે કેમેરામાં કેદ થયેલ કપલમાં...
BCCI દર વર્ષે ફક્ત વ્યાજથી કમાય છે ₹1000 કરોડ, બન્યું વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આજે વિશ્વનું સૌથી ધનિક અને પ્રભાવશાળી ક્રિકેટ સંચાલન સંસ્થાન બની ચૂક્યું છે. માત્ર ક્રિકેટની પ્રવૃત્તિઓમાંથી નહીં, પણ તેના રોકાણોના વ્યાજમાંથી પણ BCCI વર્ષદીઠ ₹1000 કરોડથી વધુ કમાઈ રહી છે. હાલમાં BCCI પાસે આશરે ₹30,000 કરોડનું રિઝર્વ ફંડ છે, જેમાંથી તે આ વ્યાજ કમાણી મેળવે છે. IPL: આવકનો મુખ્ય સ્ત્રોત 2023-24...
દક્ષિણ ઈરાનમાં ભયંકર રોડ દુર્ઘટના: બસ પલટાતા 21ના મોત, 34 ઘાયલ
દક્ષિણ ઈરાનના ફાર્સ પ્રાંતમાં શનિવારના રોજ એક ભયંકર બસ અકસ્માત થયો છે જેમાં ઘટનાસ્થળે 21 લોકોનાં મૃત્યુ થયાં છે અને 34 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, દુર્ઘટના ફાર્સની રાજધાની શીરાજથી દક્ષિણ તરફ બની હતી. ફાર્સ ઇમરજન્સી ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મસૂદ આબેદે જણાવ્યું કે અકસ્માત સવારના લગભગ 11:05 વાગ્યે થયો હતો. ઘટનાની જાણ...
બગોદરામાં કરુણાંતિકા: એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા પીધી
અમદાવાદના નજીક આવેલા બગોદરા ગામમાંથી ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીધા બાદ આત્મહત્યાનો માર્ગ પસંદ કરતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કૌટુંબિક ઓળખ અને ઘટનાનું વર્ણન પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિપુલ વાઘેલા પોતાનું ગુજરાન રિક્ષા ચલાવીને ચલાવતો હતો. તેઓ ધોળકાના બોરકોઠા...








