જામનગરના નાઘેડી વિસ્તારમાં રવિવારે વિસર્જન દરમિયાન બનેલી દુર્ઘટનામાં રામેશ્વરનગરના 36 વર્ષીય પ્રિતેશ પ્રજાપતિ અને તેમના બે પુત્રો, 4 વર્ષીય અંશ અને 14 વર્ષીય સંજયનું તળાવમાં ડૂબી જતાં મોત થયું હતું. આ ઘટના પછી સમગ્ર જામનગર અને આસપાસના વિસ્તારોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
પિતાની સાથે બે પુત્રોની એકસાથે અર્થી ઉઠતી વખતે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા. મૃતક પ્રિતેશના પત્ની જલ્પાબેન પોતાના બે પુત્રોના મૃતદેહ સામે હૈયાફાટ રૂદન કરતા જોવા મળ્યા. અંતિમવિધિ જામનગરના આદર્શ સ્મશાનમાં કરવામાં આવી હતી.
દુર્ઘટના એવી રીતે સર્જાઈ કે, પ્રિતેશ અને તેમના પુત્રો પોદાર સ્કૂલ નજીક તળાવમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ઉતર્યા હતા, ત્યારે અનાપેક્ષિત રીતે ઊંડા પાણીમાં ડૂબી ગયા. તરણ આવડતું ન હોવાથી ત્રણેયની તરત જ કમકમાટી ભરેલી મોત નિપજ્યાં. ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટિમ તાબડતોબ સ્થળ પર પહોંચી અને તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply