એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ

એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ

એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ છે, જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટ જેટલું ફરીને  જવું પડે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 વચ્ચે વધુ પડકારરૂપ બની રહી છે, જે ઑફિસ જવાનો સમય છે.

ટ્રાફિક જામની સમસ્યાને કારણે વાહનચાલકો આડેધડ માર્ગો પસંદ કરી ટ્રાફિક વધારે વણસે છે. લોકોએ પોલીસની નિષ્ક્રિયતા પર આક્ષેપ કર્યો છે અને જણાવ્યુ છે કે ટ્રાફિક પોલીસ માત્ર VVIP મુલાકાત દરમિયાન જ સક્રિય રહે છે, જ્યારે સામાન્ય નાગરિકોને ટ્રાફિકમાં ફસાવા છતાં કોઈ મદદ નથી મળતી.

ટ્રાફિકમાં ફસાઈ રહેવાથી લોકોને માનસિક તાણ અને સમય-ઈંધણનો વ્યય વધતો જાય છે. તંત્ર દ્વારા માત્ર ડાયવર્ઝન માટેના બોર્ડ લગાવવામાં આવ્યા છે, પરંતુ વ્યવસ્થિત ટ્રાફિક સંચાલન નથી. સ્થાનિકોને તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે, જેથી વાહનચાલકોને મુશ્કેલીનો અંત આવે.

વેહિકલ્સ માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. સરખેજથી કર્ણાવતી ક્લબ જવા માટે વાહનચાલકોએ YMCA ક્લબ તરફ ડાબી બાજુ વળવું, પછી ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ પરથી કર્ણાવતી ક્લબ પહોંચવું જોઈએ. પ્રહલાદનગરથી બે વિકલ્પી માર્ગ ઉપલબ્ધ છે: પહેલા પ્રહલાદનગરથી ડાબે વળીને YMCA રસ્તો લઈ કર્ણાવતી ક્લબ જવું, બીજા માર્ગમાં પ્રહલાદનગર ચાર રસ્તા પરથી જમણે વળીને સર્વિસ રોડ દ્વારા કર્ણાવતી જંક્શન પહોંચી શકાય.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે બ્રિજની નિર્માણ કંપની સાથે ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ સંકળાયેલા છે, જે ટ્રાફિક રોકાઈ નહીં એ સુનિશ્ચિત કરશે. ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માર્ગ ચાલુ રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.