સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટે દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ના વેચાણ પર વિકલ્પની માગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે જણાવ્યું કે, આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશના કરોડો વાહન ચાલકોને એવી ફ્યુઅલનો ઉપયોગ કરવા મજબૂર કરાય રહ્યો છે જે તેમના વાહનના એન્જિન માટે યોગ્ય નથી. અરજકર્તાઓએ ઈથેનોલ વિનાનું પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તમામ પેટ્રોલ પંપ પર ઈથેનોલ મુક્ત પેટ્રોલ ઉપલબ્ધ હોવું, ઈથેનોલવાળા પેટ્રોલ પર સ્પષ્ટ લેબલ મુકવું, ગ્રાહકોને ફ્યુઅલ કોમ્પેટિબિલિટી વિશે માહિતી આપવી અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ સૂચનાઓ જાહેર કરવી જરૂરી છે.

એટર્ની જનરલ આર. વેંકટરમાને કોર્ટને જણાવ્યુ કે ઈથેનોલ બ્લેન્ડિંગથી શેરડીના ખેડૂતોને ઘણો લાભ થયો છે, અને તેથી આ માંગ યોગ્ય નથી. ભારત સરકાર પેટ્રોલમાં 20% સુધી ઈથેનોલ ઉમેરે છે, જેના કારણે શેરડીના ભાવ વધે છે અને ખેડૂતોને લાભ થાય છે. જો કે, કેટલીક અહેવાલો મુજબ ઈથેનોલવાળા પેટ્રોલથી વાહનોનું માઇલેજ ઓછું થાય છે અને કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે, જોકે સરકારે આ અહેવાલોને નકારી દીધું છે.

 

Leave a Reply

Your email address will not be published.