મુંબઈ: બોલીવૂડની લોકપ્રિય ફિલ્મ ચાલબાઝના રીમેકને લઈને ફરી ચર્ચાઓ તેજ બની છે. માહિતી અનુસાર, અભિનેત્રી જાહ્નવી કપૂરને ફિલ્મમાં શ્રીદેવી દ્વારા નિભાવવામાં આવેલા ડબલ રોલ માટે ઓફર કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરનું નામ ચર્ચામાં હતું, પરંતુ શૂટિંગ હજી શરૂ થયું નથી.
આ વાત જાહ્નવી કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પરમ સુંદરીના પ્રચારનો ભાગ હોઈ શકે છે. પીઆર ટીમો ઘણી વાર કલાકાર અંગે વિવિધ અફવાઓ ફેલાવીને ચર્ચા ઊભી કરતી હોય છે.
કેટલાક સમીક્ષકોનું માનવું છે કે જાહ્નવી કપૂર અભિનયમાં તુલનાત્મક રીતે નબળી છે અને ચાલબાઝ જેવી ફિલ્મમાં ડબલ રોલ નિભાવવાની મોટી જવાબદારી તે ઉઠાવી શકશે કે નહીં તે અંગે શંકા છે. ‘પરમ સુંદરી’માં પણ મોટાભાગના રિવ્યૂ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રાની સરખામણીએ જાહ્નવીનો પરફોર્મન્સ અસરકારક રહ્યો નથી.

Leave a Reply