કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ

કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ

કૉંગ્રેસે ગુરુવારે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. પાર્ટી દાવો કરે છે કે ગડકરીના પુત્રોની ઈથેનોલ ઉત્પાદક કંપનીઓએ સરકારની નીતિનો લાભ ઉઠાવી નોંધપાત્ર નફો કમાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે, નીખિલ ગડકરી અને સારંગ ગડકરીની કંપનીઓ (Cian Agro Industries & Infrastructure Ltd અને Manas Agro Industries And Infrastructure Ltd) ઈથેનોલ ઉત્પાદન કરતી વખતે પિતાના નીતિગત નિર્ણયનો લાભ લઇ રહી છે, જે તેમના માટે આર્થિક લાભમાં બદલાઈ રહ્યો છે.

ખેડાએ કહ્યું કે, નીખિલ ગડકરીની Cian Agro કંપનીએ જૂન-2024માં 18 કરોડ રૂપિયાનું નફો નોંધ્યું હતું, જે જૂન-2025માં 723 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. કંપનીના શેરની કિંમત જાન્યુઆરી-2025માં 37 રૂપિયા હતી, હવે તે 638 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કોંગ્રેસનો દાવો છે કે, સરકારના માર્ગદર્શન હેઠળ 20% ઈથેનોલ મિશ્રણનું ટાર્ગેટ સમયસર પૂર્ણ કરાયું છે, પરંતુ ઇલેક્ટ્રિકલ મ્યુનિસિપલ કચરા અને લાકડાના ભૂસાનો ઉપયોગ થાય નહોતો, અને આ ઉત્પાદન પર્યાવરણ માટે નુકસાનકારક છે.

પવન ખેડાએ આ પણ જણાવ્યું કે, ઈથેનોલની મેન્યુફેક્ચરિંગમાં એક લીટર ઈથેનોલ બનાવવા માટે 3000 લીટર પાણીનો ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે ખતરનાક છે. કોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર અને નીતિન ગડકરીની જવાબદારી ઉપર પ્રકાશ પાડ્યો છે અને આગામી દિવસોમાં ગડકરી તરફથી પ્રતિક્રિયા પર સૌની નજર છે.

 

Leave a Reply

Your email address will not be published.