GST સુધારા: સિગારેટ-તમાકુ પર 40% GST, બીડી માટે માત્ર 18% – કારણ શું?

GST સુધારા: સિગારેટ-તમાકુ પર 40% GST, બીડી માટે માત્ર 18% – કારણ શું?

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા GST સુધારણા હેઠળ તમાકુ ઉત્પાદનો પર ટેક્સના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. પાનમસાલા, સિગારેટ, ગુટખા, જર્દા અને ધૂમ્રપાન માટેના નિકોટિન ધરાવતા અન્ય તમાકુ ઉત્પાદનો પર હવે 40% GST લાગશે. આ ટેક્સ ફેક્ટરી ભાવની જગ્યાએ રિટેલ કિંમતો પર લાગુ પડશે, એટલે કે ગ્રાહકો જે કિંમતે ખરીદી કરે છે, તેની સીધી અસર થશે.

બીડીના મામલે સરકારનો અલગ અભિગમ જોવા મળે છે. બીડી લપેટવા માટે ઉપયોગમાં લેવાતા પાન (તેંદુ પત્તા) પર GST ઘટાડીને 18% કરતા 5% કર કરવામાં આવ્યો છે. આથી બીડીની કુલ GST માત્ર 18% રહેશે. આ નિર્ણય ગ્રામીણ અને આદિવાસી લોકોના રોજગારને સુરક્ષિત રાખવાના ઇરાદાથી લેવામાં આવ્યો છે. ભારતમાં આશરે 50 લાખ લોકો બીડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેમાં ઘણી મહિલાઓ ઘરમાં રહીને બીડી બનાવે છે અને તે તેમનો મુખ્ય આવકનો સ્ત્રોત છે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ લોકને તમાકુમાંથી દૂર રાખવાનો છે, અને સિગારેટ-ગુટખા-પાનમસાલા પર ઉંચા ટેક્સ લાદી તેનો અમલ કરવામાં આવ્યો છે. બીડી માટે કર ઘટાડવાના કારણે ગ્રામીણ અને આદિવાસી સમાજમાં રોજગારને પ્રોત્સાહન મળશે અને આ ઉદ્યોગ ટકી રહેવામાં મદદ મળશે.

 

Leave a Reply

Your email address will not be published.