Day: September 5, 2025

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત
Post

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત

દિલ્હીથી ઈન્દોર જઈ રહી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1028માં 5 સપ્ટેમ્બરના રોજ ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક ‘પાન-પાન’ ઈમરજન્સી કોલ કર્યો. ફ્લાઈટમાં 161 મુસાફરો સવાર હતા. પાયલટની વ્યાવસાયિક સમજદારી અને સમયસર લેવાયેલા નિર્ણયથી વિમાન ઈન્દોરના દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સલામત રીતે લેન્ડ થઈ ગયું, જેનાથી મોટી દુર્ઘટના ટળી અને મુસાફરોના જીવ બચ્યા. ફ્લાઈટ દિલ્હીના...

કોટ વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી, 10-30 ફૂટ પ્રતિમાઓમાં ભક્તોની ભીડ
Post

કોટ વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી, 10-30 ફૂટ પ્રતિમાઓમાં ભક્તોની ભીડ

સુરતના કોટ વિસ્તારમાં ગણેશોત્સવ પૂરો થવાના અવસરે ભક્તો માટે વિશાળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના કોટ વિસ્તારમાં 10થી 30 ફૂટ સુધીની ભવ્ય ગણેશ પ્રતિમાઓમાં અલગ-અલગ યુનિક થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જે ભક્તોને જોવા માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે. અહીંના મંડપોમાં હીંચકા પર પાર્વતી માતાના ખોળામાં બાળ ગણેશ, અયોધ્યા ધામ, નવરાત્રી માહોલ,...

હાલોલ GIDCમાં એગ્રો ફેક્ટરીમાં ગંભીર દુર્ઘટના: 5 શ્રમિકો દાઝ્યા
Post

હાલોલ GIDCમાં એગ્રો ફેક્ટરીમાં ગંભીર દુર્ઘટના: 5 શ્રમિકો દાઝ્યા

પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) વિસ્તારમાં આવેલી એક એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના બની છે. કંપનીમાં એક ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલી જતાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા. મળતી માહિતી અનુસાર, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાને કારણે...

ઘર ખરીદનારા માટે રાહત: રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ડિજિટલ ડેટાબેઝ લોન્ચ થશે
Post

ઘર ખરીદનારા માટે રાહત: રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ડિજિટલ ડેટાબેઝ લોન્ચ થશે

સરકાર ટૂંક સમયમાં ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે એક ડિજિટલ ડેટાબેઝ શરૂ કરવા જઈ રહી છે. આ પગલું ખાસ કરીને ઘર ખરીદનારા માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે આ પોર્ટલના માધ્યમથી ખરીદદારો છેતરપિંડીથી બચી શકે અને વિશ્વસનીય પ્રોજેક્ટ પસંદ કરી શકે. ડેટાબેઝમાં પ્રોજેક્ટની તમામ જરૂરી જાણકારી જેમ કે મંજૂરી, કન્સ્ટ્રક્શનની પ્રગતિ, બિલ્ડરોની વિશ્વસનીયતા અને...

અમદાવાદમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી, AMCમાં ફરિયાદ નોંધાવી
Post

અમદાવાદમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી, AMCમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ: ખાણીપીણીની વસ્તુમાં ક્યારેક જીવજંતુ નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળતા ચોંકાવનારી ઘટના બન્યાની જાણ મળી છે. શહેરના વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સની સામે આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી મહિલા સમોસા અને ચટણી ખરીદીને ઘરે જતા, ચટણીમાં મૃત ગરોળી જોવા મળતા મહિલા ચોંકી ઉઠ્યા હતા. ઘટનાની જાણ દુકાનદારને કરવામાં આવી, પરંતુ...

ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત
Post

ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયાના સંબંધોને લઇને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, “અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવી દીધા છે, અપેક્ષા છે કે તેઓ એકસાથે લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે.” આ નિવેદનથી ત્રિપુટી – ભારત, રશિયા અને ચીન – વચ્ચેની એકતા ખુલ્લી...

પંજાબમાં ભૂકંપરૂપ પૂર: 1900થી વધુ ગામ ડૂબ્યા, 43ના મોત, 21,000 લોકો બચાવાયા
Post

પંજાબમાં ભૂકંપરૂપ પૂર: 1900થી વધુ ગામ ડૂબ્યા, 43ના મોત, 21,000 લોકો બચાવાયા

પંજાબ: રાજ્ય કુદરતી આફતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે ભારે પૂર આવ્યું છે, જેમાં અત્યારસુધી 43થી વધુ લોકોના મોત નોંધાયા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં કુલ 1902 ગામ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે લગભગ 3,84,205 લોકો પ્રભાવિત થયા છે. પૂરપ્રભાવિત વિસ્તારોમાંથી અત્યારસુધીમાં 20,972 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ...

જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ
Post

જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં: વિદ્યાર્થીઓ પર થયેલા નવા હુમલાના વીડિયો વાઇરલ

જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલા વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હુમલો થતા ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા...

મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ
Post

મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ઉપરવાસના ભારે વરસાદને કારણે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા અંજતા પ્રાઈવેટ લિમિટેડ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ખાતે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. તાત્રોલી નજીક આવેલા પ્લાન્ટમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં 200 ફૂટ નીચે કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ પાણીમાં તણાઈ ગયા. 24 કલાકથી વધુ સમય વિત્યા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. NDRF,...

GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ
Post

GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ

નવી દિલ્હી: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દે મહત્વપૂર્ણ પગલું ભરવા તૈયાર થઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી પ્રભાવિત ભારતીય નિકાસકારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. અમેરિકા દ્વારા 50 ટકા સુધીના ટેરિફ લાગુ...