Day: September 5, 2025

ટ્રમ્પની વ્હાઇટ હાઉસ ડિનર પાર્ટીમાં બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ અને કૂક સહિત ટેક દિગ્ગજો હાજર, મસ્ક ગેરહાજર
Post

ટ્રમ્પની વ્હાઇટ હાઉસ ડિનર પાર્ટીમાં બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ અને કૂક સહિત ટેક દિગ્ગજો હાજર, મસ્ક ગેરહાજર

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ટેક જગતના દિગ્ગજોને વિશેષ ડિનર પાર્ટી માટે આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ, ટિમ કૂક અને સત્યા નડેલા જેવા ટોચના ટેક નેતાઓ હાજર રહ્યા. ટ્રમ્પે આ સમારંભને “ઉચ્ચ IQ ધરાવતા લોકોનો મેળાવડો” ગણાવ્યો. ડિનર દરમિયાન રાજકારણ, અર્થતંત્ર, રોકાણ...

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, સંવાદ જ શાંતિનો માર્ગઃ યુએનમાં ભારતનું નિવેદન
Post

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, સંવાદ જ શાંતિનો માર્ગઃ યુએનમાં ભારતનું નિવેદન

યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું કે, યુક્રેનમાં નિર્દોષ લોકોની હત્યા અસ્વીકાર્ય છે અને કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે શક્ય નથી. તેમણે કહ્યું કે, યુક્રેન યુદ્ધનો અંત સૌના હિતમાં છે અને તેનું એકમાત્ર ઉકેલ સંવાદ તથા વ્યૂહનીતિ દ્વારા જ શક્ય છે. હરીશે ભારપૂર્વક જણાવ્યું...

ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારોનો ખુલાસો, બનાવટી નામોના મોટા ગોટાળા
Post

ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારોનો ખુલાસો, બનાવટી નામોના મોટા ગોટાળા

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ મતદાર યાદીમાં બનાવટી નામોના મોટા ગોટાળા સામે આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખુલ્યું કે રાજ્યમાં આશરે સવા કરોડ મતદારો એવા છે જેઓના નામ બે અલગ અલગ મતદાર યાદીમાં સામેલ છે. એટલે કે એક જ વ્યક્તિ ગ્રામ...

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર
Post

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર

અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે...

અમિતાભ અને શાહરુખ ખાનને ‘ડોન ૩’માં સામેલ થવા માટે કર્યો સંપર્ક: હજુ સુધી કોઈ પુષ્ટિ નથી
Post

અમિતાભ અને શાહરુખ ખાનને ‘ડોન ૩’માં સામેલ થવા માટે કર્યો સંપર્ક: હજુ સુધી કોઈ પુષ્ટિ નથી

મુંબઈ: ફિલ્મમેકર ફરહાન અખ્તર હાલમાં ‘ડોન ૩’ પર કામ કરી રહ્યા છે અને ફિલ્મની તૈયારી અંગે નિયમિત અપડેટ્સ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં મૂળ ‘ડોન’ અને ‘ડોન ટુ’માં ડોનની ભૂમિકા ભજવનાર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનને ‘ડોન ૩’માં સામેલ થવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, બંને સ્ટારોએ હજુ સુધી આ પ્રસ્તાવને સમર્થન આપ્યું...

એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને 4-1થી હરાવ્યું
Post

એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને 4-1થી હરાવ્યું

બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. 4 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સુપર-4ની બીજી મેચમાં ભારતે મલેશિયાને 4-1થી હરાવ્યો. ભારત માટે મનપ્રીત સિંહ (17મી મિનિટ), સુખજીત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેક સાગર પ્રસાદ (38મી મિનિટ) એ ગોલ કર્યા. આ જીત પછી ટીમ ઈન્ડિયા હવે ફાઇનલમાં...

ચીન-પાકિસ્તાન સંબંધોમાં તિરાડ, કરોડો ડોલરની રોકાણ બાબતમાં ફેરફાર
Post

ચીન-પાકિસ્તાન સંબંધોમાં તિરાડ, કરોડો ડોલરની રોકાણ બાબતમાં ફેરફાર

નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં સામાન્ય દેખાતા નથી. પાકિસ્તાને તેના જૂના રેલવે નેટવર્ક, ખાસ કરીને કરાચી-રોહરી સેક્શનને સુધારવા માટે ચીનને બદલે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) પાસેથી 2 અબજ ડોલરની લોન લેવા માટે નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ ML-1 તરીકે ઓળખાય છે અને પહેલે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો સૌથી મોટો અને મહત્ત્વાકાંક્ષી...

GST 2.0થી રાહત ગ્રાહકો સુધી પહોંચે તે માટે સરકાર તૈયાર, NDA સાંસદોને પણ જવાબદારી સોંપી
Post

GST 2.0થી રાહત ગ્રાહકો સુધી પહોંચે તે માટે સરકાર તૈયાર, NDA સાંસદોને પણ જવાબદારી સોંપી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બુધવારે (૩ સપ્ટેમ્બર) લગભગ 400 વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. હવે સરકાર એ સુનિશ્ચિત કરવા માટે તંત્ર તૈયાર કરી રહ્યું છે કે આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચી જાય. સુત્રોના જણાવ્યા મુજબ, ટેક્સ ઘટાડા પછી ઉદ્યોગની કંપનીઓ ટૂંકા સમયમાં કિંમતો ઘટાડે અને...

નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી
Post

નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે....

મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત
Post

મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત

નવી દિલ્હી : મણિપુરમાં ગયા બે વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તનાવ વચ્ચે હવે શાંતિ સ્થાપવાના પ્રયાસો સફળ થયા છે. કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF)એ ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારમાં મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ભાર મૂકાયો છે....