સુરતના કોટ વિસ્તારમાં ગણેશોત્સવ પૂરો થવાના અવસરે ભક્તો માટે વિશાળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના કોટ વિસ્તારમાં 10થી 30 ફૂટ સુધીની ભવ્ય ગણેશ પ્રતિમાઓમાં અલગ-અલગ યુનિક થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જે ભક્તોને જોવા માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે. અહીંના મંડપોમાં હીંચકા પર પાર્વતી માતાના ખોળામાં બાળ ગણેશ, અયોધ્યા ધામ, નવરાત્રી માહોલ, ગરુડ પર લક્ષ્મીજી સાથે ગણેશ, અને પંચમુખી ગણેશ જેવી વિવિધ કૃતિઓ ખાસ દર્શનાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે.
હનુમાન ટેકરી-2માં કેદારનાથ ભગવાનની જળઅભિષેક કરતી પ્રતિમા સ્થાપિત છે. મંડળના મનોજ રાણા જણાવે છે કે, 1986થી દર વર્ષે અહીં ગણેશજીની સ્થાપના થાય છે અને ત્રણ-ચાર મહિના પહેલાં મંડળની મીટીંગમાં વિષય અને થીમ નક્કી કરીને ઓર્ડર આપવામાં આવે છે. ૫ ફૂટથી મોટી પ્રતિમાઓ વિસર્જન માટે દરિયામાં મૂકી શકાય છે, જે કોટ વિસ્તારની એક વિશેષતા છે.
નાપુરા કાંટાની વાડના જાગૃતિ યુવક મંડળના સુભાષ રાણા જણાવે છે કે, દરેક મોહલ્લામાં ૩થી ૫ ગણેશ મંડપ છે, અને દરેક જગ્યાએ યુનિક થીમ પર ગણેશજીની સ્થાપના થાય છે. ગલેમંડી વિસ્તારમાં 20 ફૂટથી મોટી, અને બેગમપુરામાં 30 ફૂટ જેટલી પ્રતિમાઓ સ્થાપિત છે. આ સ્થાનોએ સાંકડી ગલીઓ હોવાથી પ્રતિમાઓને વિસર્જન માટે બહાર લાવવી પડકારરૂપ હોય છે.
કોટ વિસ્તારમાં યુનિક અને ભવ્ય ગણેશ પ્રતિમાઓની સંખ્યા, પ્રત્યેક મોહલ્લાના ઉત્સાહ અને ભક્તિભાવને દર્શાવે છે.

Leave a Reply