પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ.

મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે સામગ્રી પરિવહન કરતી ગુડ્સ રોપ-વેનો તાર અચાનક તૂટી ગયો, જે દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું જણાયું છે. પંચમહાલના પોલીસ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે, મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સાથે જ, પવન અને વરસાદી સ્થિતિને પગલે પાવાગઢમાં પેસેન્જર રોપ-વે પણ સુરક્ષાની દૃષ્ટિએ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, જાહેર નિર્દેશ આપ્યા વિના પેસેન્જર રોપ-વે ચાલુ નહીં કરવામાં આવે.

Leave a Reply