ભારત અને ઈઝરાયલ વચ્ચે સોમવારે નવી દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના હેતુથી બંને દેશોમાં રોકાણકારોને સુરક્ષા અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા. ઈઝરાયલના નાણા મંત્રી 8થી 10 સપ્ટેમ્બરે ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે.
સપાટ મુલાકાત દરમિયાન, સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ સાથે મુલાકાત કરશે. બંને દેશ દ્વિપક્ષીય બેઠક દ્વારા આર્થિક અને નાણાકીય સંબંધોને મજબૂત બનાવવા માટે તૈયારીમાં છે. BIT ઉપરાંત, મુક્ત વેપાર કરાર (FTA) પર પણ સહમતિની શક્યતા છે.

આ કરારથી બંને દેશોના રોકાણકારોને સુરક્ષાની ગેરેંટી મળશે અને વ્યૂહાત્મક સહકાર વધશે. ઈઝરાયલના નાણા મંત્રી મુંબઈ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીનો પણ પ્રવાસ કરશે.
ઈઝરાયલે વર્ષ 2000થી અત્યારસુધી 15 થી વધુ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર સંધિ કરી છે, જેમાં યુએઈ, જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
ભારત અને ઈઝરાયલ વ્યૂહાત્મક ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે દરવર્ષે આશરે 4 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે. 2000-2025 દરમિયાન ભારતે ઈઝરાયલમાં કુલ 44.3 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે, જ્યારે ઈઝરાયલના FDI માં ભારતનું યોગદાન 33.42 કરોડ ડોલર રહ્યું છે.

Leave a Reply