યુએઈમાં યોજાનારા એશિયા કપ 2025 માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી હાઇ-વોલ્ટેજ મેચ પહેલાં વિવાદ ઉભરો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, જેમાં તેણે ખેલાડીઓના ઘરો પર હુમલા કરવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે.
આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જોવા મળે છે. આફ્રિદી અગાઉ પણ ઘણીવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે.
પહલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ બાદ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ બેહદ તણાવનો માહોલ બની ગયો હતો. તેવામાં એશિયા કપ 2025 માં ભારત-પાક મૅચ રમવાનું નિયંત્રણ ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાશે નહીં , પરંતુ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન સામે મેચ રમશે.
આફ્રિદીના નિવેદનથી મેચ પહેલાં જ વાતાવરણ ગરમાયું છે. ક્રિકેટ પ્રેક્ષકોમાં ઉત્સાહ પણ પહેલા જેટલો નથી, અને સ્ટેડિયમના મોટાભાગના સ્ટેન્ડ માટે ટિકિટો ઉપલબ્ધ છે. આથી સ્પષ્ટ થાય છે કે ચાહકોમાં પાકિસ્તાન સામે મેચ રમવાની ઇચ્છા ઘટી છે.


Leave a Reply