ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ નજીક ગુરુવાર સાંજે એક મોટો માર્ગ અકસ્માત બન્યો હતો. હરદોઈથી લખનઉ તરફ જઈ રહેલી સરકારી બસ અચાનક કાબૂ ગુમાવતાં માર્ગ પર પલટી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ મુસાફરોના મોત થયા છે, જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો...


