ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક

રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે 2023માં આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીમાંથી નામ કાઢવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો થયા હતા, જેના કેસ પંચે પોતે દાખલ કર્યા હતા. પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીમાંથી નામ કાઢતા પહેલા સંબંધિત વ્યક્તિને સાંભળવાની તક આપવામાં આવે છે.

રાહુલ ગાંધીનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચ જાણી જોઈને દલિત અને ઓબીસી મતદારોના નામ કાઢી રહ્યું છે અને આના પુરાવા તેમણે પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા.

કોંગ્રેસના આ આરોપોને ખંડન કરતા જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે જનતાએ આપેલા જનાદેશને ‘ચોરી’ કહેવું યોગ્ય નથી અને ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યું છે.

ત્યાગીએ કહ્યું કે લાંબી હારથી કોંગ્રેસ નિરાશ છે અને પોતાના મત કાપીને પોતાને નુકસાન પહોંચાડે તેવો કોઈ પ્રશ્ન નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે 2014માં જેડીયુએ ભાજપ સામે ચૂંટણી લડી હતી પરંતુ ક્યારેય ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો ન હતો.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપો પર વધુ સ્પષ્ટતા આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.