જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ

જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ

જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના સુભાષ ચોક વિસ્તારના આમેર રોડ પર ગુરુવારે દુઃખદ ઘટના બની હતી. એક જર્જરિત મકાન ધરાશાયી થતાં 78 વર્ષીય ધન્ની બાઈનું મોત થયું જ્યારે તેની પુત્રવધૂ સુનીતા (35) ગંભીર રીતે ઘાયલ થઈ.

કાટમાળ નીચે ફસાયેલા બંને મહિલાઓને પડોશીઓ અને બચાવ દળે બહાર કાઢી SMS હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ધન્નીબાઈને મૃત જાહેર કરવામાં આવી. સુનિતાના પગમાં ફ્રેક્ચર હોવાથી સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બે પૌત્રો ઘરની બહાર રમતા હોવાથી સુરક્ષિત રહી શક્યા હતા. ઘટનાસ્થળે પોલીસ, નાગરિક સંરક્ષણ ટીમ અને મ્યુનિસિપલ સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સીમા ચૌધરીએ જણાવ્યું હતું કે મકાનમાલિકને મકાનની ખરાબ હાલતને કારણે 12 ઑગસ્ટે ઘર ખાલી કરવા અને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી.

જોકે, માલિક પ્રદીપ શાહે દાવો કર્યો કે તેમને આવી કોઈ નોટિસ મળી નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.