મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, ફેન્સમાં ખુશીનો મોરલ

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, ફેન્સમાં ખુશીનો મોરલ

ભારતીય સિનેમાના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડસમાંનો એક, દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને 2023 માટે એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે તાજેતરમાં આ એવોર્ડ માટે મોહનલાલના નામની જાહેરાત કરી છે, જે સમાચાર મળતાં ફેન્સમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાઈ છે.

આ ઐતિહાસિક પ્રસંગ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વિટ દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે, “કેરળના આદિપોલીની સુંદર ભૂમિથી લઈને વિશ્વભરના દર્શકો સુધી તેમના કાર્યએ આપણી સંસ્કૃતિની ઉજવણી કરી છે અને આપણી આકાંક્ષાઓને વધારી છે. તેમનો વારસો ભારતની સર્જનાત્મક ભાવનાને પ્રેરણા આપતો રહેશે.”

મોહનલાલના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી 400થી વધુ ફિલ્મોમાં અભિનય નોંધાયો છે. તેમણે માત્ર મલયાલમ જ નહીં, પણ તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મોહનલાલને 5 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 9 કેરળ રાજ્ય ફિલ્મ એવોર્ડ્સ મળ્યા છે. સાથે જ તેમને પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા સન્માનોથી પણ ભારત સરકારે નવાજ્યા છે. દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ 23 સપ્ટેમ્બર, 2025ના રોજ 71મા નેશનલ એવોર્ડ ઈવેન્ટમાં મોહનલાલને એનાયત કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published.