‘પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવવામાં વાંધો શું છે?’, ભારતના પૂર્વ ક્રિકેટર અઝહરૂદ્દીનની સૂર્યકુમારને સલાહ

Home » Latest Update » ‘પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવવામાં વાંધો શું છે?’, ભારતના પૂર્વ ક્રિકેટર અઝહરૂદ્દીનની સૂર્યકુમારને સલાહ
‘પાકિસ્તાની-ખેલાડી-સાથે-હાથ-મિલાવવામાં-વાંધો-શું-છે?’,-ભારતના-પૂર્વ-ક્રિકેટર-અઝહરૂદ્દીનની-સૂર્યકુમારને-સલાહ

IND vs PAK: એશિયા કપ 2025ના રવિવારે (21મી સપ્ટેમ્બર) સુપર ફોર રાઉન્ડમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. મેચ પહેલા મેદાનની બહાર માહોલ ખૂબ ગરમ છે. ક્રિકેટની વ્યૂહનીતિઓને બદલે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય હાથ મિલાવવાનો વિવાદ છે. અગાઉની મેચ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ICCને ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવા અંગે ફરિયાદ કરી હતી. હવે પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અને પૂર્વ ક્રિકેટર નિખિલ ચોપરાએ આ વિવાદ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

મોહમ્મદ અઝહરુદ્દીને શું કહ્યું…

હાથ મિલાવવાનો વિવાદ અંગે મોહમ્મદ અઝહરુદ્દીન કહ્યું કે, ‘મને લાગે છે કે હાથ મિલાવવામાં કંઈ ખોટું નથી. જ્યારે તમે મેચ રમી રહ્યા હોવ, ત્યારે તમારે બધું જ તમારા હૃદયથી રમવું જોઈએ, પછી ભલે તે હાથ મિલાવવાની હોય કે બીજું કંઈ. મને સમજાતું નથી કે સમસ્યા શું હતી.’

'પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવવામાં વાંધો શું છે?', ભારતના પૂર્વ ક્રિકેટર અઝહરૂદ્દીનની સૂર્યકુમારને સલાહ 2 - image

Image: IANS , Mohammad Azharuddin

આ પણ વાંચોઃ શ્રીકાંતે કરી પાકિસ્તાનની ફજેતી, કહ્યું – IND vs PAKની મેચમાં પહેલા જેવી વાત નહીં રહી

ભારત અને પાકિસ્તાનની મેચ પર મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે, ‘જ્યારે તમે વિરોધ સામે રમી રહ્યા છો, ત્યારે બિલકુલ ન રમો. વિરોધ સામે રમવાનો કોઈ અર્થ નથી. જો તમે રમવાનું નક્કી કરો છો, પછી ભલે તે ICC ઈવેન્ટ હોય કે એશિયા કપ, તમારે સંપૂર્ણ તીવ્રતાથી રમવું જોઈએ. નહીં તો, રમવાની કોઈ જરૂર નથી.’

‘કદાચ મેદાન પર કંઈક બન્યું હશે’

પૂર્વ ક્રિકેટર નિખિલ ચોપરાએ એક અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો, સૂચવ્યું કે મેદાન પર કંઈક એવું બન્યું હશે જેના કારણે ભારતીય ખેલાડીઓએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે,’મને લાગે છે કે તે મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે કોઈ ઝઘડો થયો હશે. અને એક યુનિટ તરીકે ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે કહ્યું હશે કે ઠીક છે, આપણે હાથ નહીં મિલાવીએ. મેચ દરમિયાન શાબ્દિક ઝઘડો થયો હશે.’

'પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવવામાં વાંધો શું છે?', ભારતના પૂર્વ ક્રિકેટર અઝહરૂદ્દીનની સૂર્યકુમારને સલાહ 3 - image

Leave a Reply

Your email address will not be published.