નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો.
પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં સ્વદેશી ઉત્પાદનોનો પ્રત્યેક ભાગ સમાવવો જોઈએ.
પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓ ખરીદવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો અને કહ્યું, “ગર્વથી કહો કે હું સ્વદેશી ઉત્પાદનો ખરીદું છું અને વેચું છું. આ અભિગમ દરેક ભારતીયમાં બનવો જોઈએ. જ્યારે આવું થશે, ત્યારે ભારત ઝડપથી વિકાસ કરશે.”

તેમણે રાજ્ય સરકારોને પણ આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો, સાથે જ જણાવ્યું કે દેશમાં જે કંઈપણ બનાવી શકાય છે તે દેશમાં જ બનાવવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને કેન્દ્ર-રાજ્ય સહકાર દ્વારા વિકાસને વેગ આપવા રાષ્ટ્રને અનુરોધ કર્યો.
તેમણે કહ્યું કે આ પ્રયાસો સાથે ભારતના વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. પીએમ મોદીએ આ સંબોધનનું અંતરાષ્ટ્રીય બચત મહોત્સવની શુભેચ્છાઓ પાઠવીને કર્યું.

Leave a Reply