વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 21 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યે દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધિત કરશે. અનુમાન છે કે તેઓ GSTના નવા દર અંગે વિગતવાર માહિતી આપી શકે છે.
આવતીકાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં નવા GST દરો લાગુ થવાના છે. સરકાર દ્વારા અનેક ચીજવસ્તુઓ પર GSTના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર 0 ટકા GST લાગુ કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન આ સંબોધનમાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. ખાસ કરીને અમેરિકા-ભારત સંબંધો, નવા H-1B વિઝા નિયમો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા 50 ટકા ટેરિફ અંગે તેઓ પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે છે.
તાજેતરમાં 15મી ઓગસ્ટે પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ઓપરેશન સિંદૂર વિશે વાત કરી હતી. આજે ફરીથી દેશને સંબોધિત કરતી વખતે તેમના સંદેશ પર સમગ્ર દેશની નજર છે અને આશા છે કે કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે.

Leave a Reply