કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કલોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલની મુલાકાતે આવ્યા હતા અને શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

આ વિકાસકાર્યો માટે કુલ રૂ. 90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કલોલ શહેરના આધુનિકીકરણ અને પર્યાવરણીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

અમિત શાહે રૂ. 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કર્યું, જે સ્થાનિક પર્યાવરણને સુધારવા અને જળસંચય માટે લાભકારક રહેશે. આ ઉપરાંત, શહેરી સ્વચ્છતા અને પાણીની ગુણવત્તા સુધારવા માટે જાસપુર રોડ પર બનેલ STP (સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.

શહેરના મુખ્ય ટાવર ચોક પર બનેલા રેન બસેરા લોકાર્પણ બાદ રાહદારીઓ અને નાગરિકોને અનુકૂળતા મળશે.

કાર્યક્રમ અંતર્ગત, અમિત શાહે રૂ. 90 કરોડના ખર્ચે નવા રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું.

કાર્યક્રમમાં ગૃહમંત્રીએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના પ્રયાસોની પ્રશંસા કરતાં કલોલ શહેરના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ મુલાકાત દરમ્યાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published.