ભારતમાં GST સુધારણાના હેતુથી મહત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓના દરને નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યો છે.
અગાઉ 12% લાગતા GST દરને હવે 5% પર લાવવામાં આવ્યું છે, જ્યારે 36 પ્રકારની જીવનરક્ષક દવાઓ સંપૂર્ણપણે કરમુક્ત થઈ ગઇ છે.
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ના જણાવ્યા અનુસાર, આ સુધારણા મધ્યમ વર્ગના પરિવારો, લાંબા સમય સુધી સારવાર લેતા દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટી નાણાકીય રાહત લાવી શકે છે.
IPAએ જણાવ્યુ કે આ સુધારણા ખાસ કરીને કેન્સર, અનુવંશિક અને દુર્લભ રોગો, તેમજ હૃદય રોગો માટે લાભદાયક રહેશે. અભ્યાસ મુજબ, GST ઘટાડાથી દર્દીઓને દર વર્ષે લાખો રૂપિયાનું બચત થશે.

ઉદાહરણ તરીકે, 19 વર્ષીય રોહન, જેને દુર્લભ ફેબ્રી રોગ છે, અગાઉ એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપીમાં વર્ષમાં આશરે ₹18 લાખ ખર્ચ કરતો હતો, જે હવે GST ઘટાડા પછી માત્ર ₹2 લાખમાં સંભવ છે.
દુર્લભ રોગો, કેન્સર, ડાયાબિટીસ અને ફેટી લીવર જેવા વિવિધ આરોગ્ય સંકટોમાં આ સુધારણા દર્દીઓ માટે મોટી રાહત સાબિત થશે.
IPAના અનુસંધાન મુજબ, આ નીતિ દેશભરના દર્દીઓ માટે દવાઓની ઉપલબ્ધતા અને ખર્ચને વધુ અનુકૂળ બનાવશે.

Leave a Reply