વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી

વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડતી જોવા મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન ત્યારે શરૂ થશે જ્યારે બીજી ટ્રેન પણ રેગ્યુલર સર્વિસ માટે તૈયાર થઈ જશે.

અધિકારીઓની જાણકારી મુજબ એક ટ્રેન પહેલેથી જ તૈયાર છે અને તેનું ટ્રાયલ દિલ્હીના શકુરબસ્તી કોચિંગ ડેપોમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

મંત્રીએ જણાવ્યું કે બીજી ટ્રેનનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને 15 ઓક્ટોબર 2025 સુધી તેને તૈયાર કરવાની આશા છે. બંને ટ્રેન તૈયાર થયા બાદ જ વંદે ભારત સ્લીપરને ઓક્ટોબરમાં જ લોન્ચ કરવામાં આવશે.

જોકે, હજુ સુધી ટ્રેન કયા રૂટ પર દોડશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે આરંભમાં નવી દિલ્હી અને પટના વચ્ચે દોડવાની શક્યતા છે, ખાસ કરીને બિહારમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની તૈયારીના કારણે.

વંદે ભારત સ્લીપર ટ્રેન વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં સામેલ છે અને તેનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે ટ્રાયલ 180 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પર સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

તે ઉપરાંત, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પંજાબ અને હરિયાણામાં નવનિર્મિત રેલવે પ્રોજેક્ટ્સ અંગે પણ માહિતી આપી.

રાજપુરા-મોહાલી 18 કિલોમીટર લાંબી લાઈન ચંદીગઢને અંબાલા-અમૃતસર મુખ્યલાઈન સાથે જોડશે. દિલ્હીફિરોઝપુર રૂટ પર વંદે ભારત ટ્રેનની દોડ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે ફરીદકોટ, ભટિંડા, ધુરી, પટિયાલા, અંબાલા, કુરૂક્ષેત્ર અને પાનીપત સ્ટેશનોને આવરીને 486 કિ.મીનું અંતર માત્ર 6 કલાક 40 મિનિટમાં કાપશે.

 

Leave a Reply

Your email address will not be published.