નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું કે હવે શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણય બાદ દેશભરના શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને શિક્ષક સંઘોએ વિરોધની તૈયારી શરૂ કરી છે. અખિલ ભારતીય પ્રાથમિક સંઘે સ્પષ્ટ કર્યું છે...
Month: September 2025
ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સાંસદોની વિચારમંથન માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રવિવારે સંસદ પરિસરમાં શરૂ થયું. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ સાંસદોએ ભાગ લીધો. અહીં પીએમ મોદીનો સાદગીભર્યો અને અનોખો અંદાજ જોવા મળ્યો – તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ...
હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, રેલવે ટ્રેકને નુકસાન થતાં ટ્રેન વ્યવહાર ઠપ
ઉત્તરાખંડના હરિદ્વારમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે મનસા દેવી હિલ્સ નજીક આવેલા ભીમગોડા રેલ્વે ટનલ અને કાળી માતા મંદિર વિસ્તારનો પર્વતનો મોટો ભાગ તૂટી પડ્યો. આ અચાનક બનેલા ભૂસ્ખલનના કારણે દેહરાદૂન–હરિદ્વાર રૂટ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. માહિતી મુજબ, કાળી માતા મંદિર પાસે પર્વત તૂટી પડતાં ભારે માત્રામાં માટી અને ખડકો...
ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, મુસાફરોને એક કલાકથી વધુ રાહ જોવી પડી
ગુજરાતમાં કાલે થયેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું હતું. એ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ભારે વરસાદને કારણે પાટા નીચેની જમીન ધોવાઈ જતાં મેમુ ટ્રેનને સમયસર અટકાવી દેવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિથી બચાવ થયો. માહિતી મુજબ, ગોધરા–આણંદ રૂટ પર દોડતી મેમુ...
બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાત રાજ્યમાં આ વરસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલુ વરસાદે શનિવારથી રવિવાર વચ્ચે ઘણા જિલ્લાઓમાં અવિરત ત્રાટક કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ વરસાદ...
VIDEO: 5 ફોર અને 5 સિક્સર… પોલાર્ડની તોફાની બેટિંગ, 17 બોલમાં અડધી સદી ફટકારી
Kieron Pollard: વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી અને ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ (TKR) ને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે શનિવારે રમાયેલી મેચમાં પોલાર્ડે ગયાના એમેઝોન વોરિયર્સ સામે બેટિંગ કરી અને માત્ર 18 બોલમાં અણનમ 54 રન બનાવ્યા. પોલાર્ડનો તોફાની બેટિંગ પોલાર્ડે તેની શાનદાર ઇનિંગમાં...
Hockey Asia Cup 2025: ચોથી વખત ચેમ્પિયન બન્યું ભારત, સાઉથ કોરિયાને 4-1થી હરાવી વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય
Hockey Asia Cup 2025 : હોકી એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ સાઉથ કોરિયાને કારમી હાર આપીને ચેમ્પિયન બની ગઇ છે. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં ભારતીય હોકી ટીમે સાઉથ કોરિયાને 4-1ના મોટા અંતરથી મ્હાત આપી. આ જીત સાથે જ ભારતીય ટીમે આગામી વર્ષે એટલે કે 2026માં બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત...
ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ઈન્ડિયા-A માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમે તેવી અટકળો
Rohit Sharma and Virat Kohli Comeback: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ પછી T20 અને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના કારણે આ બંને ચેમ્પિયન્સ ટ્રોફી પછી આ બંને સ્ટાર્સ ક્રિકેટના મેદાન પર જોવા નથી મળ્યા. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે, કે રોહિત અને વિરાટ આ મહિને 30 સપ્ટેમ્બરથી...
BCCIની છપ્પરફાડ કમાણી: છેલ્લા 5 વર્ષમાં હજારો કરોડ રૂપિયાની આવક, આંકડા જાણી ચોંકી જશો
BCCI adds reserves since 2019: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ટ્રેઝરીને છેલ્લા પાંચ વર્ષમાં રૂ.14,627 કરોડની કમણી થઈ છે, જેમાં ગત નાણાકીય વર્ષમાં જ રૂ. 4193 કરોડનું ફંડ મળ્યું હતું. આ સાથે BCCIનું બેન્ક બેલેન્સ વધીને રૂ. 20,686 કરોડ થયું છે. આ માહિતી એક રિપોર્ટમાંથી પ્રાપ્ત થઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્ય એકમોને...
T20Iમાં પ્લેયર ઓફ ધી મેચ જીતવામાં કોહલી-સૂર્યાથી પણ આગળ નીકળ્યો આ ખેલાડી
Sikandar Raza Player Of The Match Awards: શ્રીલંકા સામેની બીજી T20Iમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ પોતાની બેટિંગથી નહીં પણ બોલિંગથી તબાહી મચાવી હતી. તેણે શ્રીલંકા ટીમને માત્ર 80 રનના સ્કોર સુધી મર્યાદિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 4 ઓવરના પોતાના ક્વોટામાં માત્ર 11 રન આપીને 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી, જેમાં કેપ્ટન ચરીથ અસલંકાની...









