ટી20 વર્લ્ડકપ: બાંગ્લાદેશ વિવાદ મામલે BCCIનું પ્રથમ પ્રતિક્રિયા, પાકિસ્તાનની ઝાટકણી કાઢી

Home » Latest Update » ટી20 વર્લ્ડકપ: બાંગ્લાદેશ વિવાદ મામલે BCCIનું પ્રથમ પ્રતિક્રિયા, પાકિસ્તાનની ઝાટકણી કાઢી
ટી20-વર્લ્ડકપ:-બાંગ્લાદેશ-વિવાદ-મામલે-bcciનું-પ્રથમ-પ્રતિક્રિયા,-પાકિસ્તાનની-ઝાટકણી-કાઢી

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News

Google News

ટી20 વર્લ્ડકપ: બાંગ્લાદેશ વિવાદ મામલે BCCIનું પ્રથમ પ્રતિક્રિયા, પાકિસ્તાનની ઝાટકણી કાઢી 1 - image

BCCI Slams Pakistan: ICCએ ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરી સ્કોટલેન્ડને સ્થાન આપ્યું છે. પાકિસ્તાન પણ બૉયકોટની ધમકી આપી રહ્યું છે. એવામાં સમગ્ર મામલે પહેલીવાર BCCI તરફથી મોટું નિવેદન આવ્યું છે. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું છે કે, ભારત તો ઈચ્છતું હતું કે બાંગ્લાદેશ પણ ટુર્નામેન્ટ રમે, પણ પાકિસ્તાન તેને ગેરમાર્ગે લઈ ગયું. 

બાંગ્લાદેશ વિવાદ મામલે BCCIનું મોટું નિવેદન
રાજીવ શુક્લાએ કહ્યું છે કે, અમે તો ઈચ્છતા હતા કે બાંગ્લાદેશ પણ રમે. અમે તેમને કહ્યું હતું કે ભારતમાં તમારા ખેલાડીઓને પૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. કોઈ સમસ્યા નહીં થાય. પરંતુ તેઓ કહેતા રહ્યા કે અમે નહીં જ રમીએ. રમીશું તો શ્રીલંકામાં જ રમીશું. આખો કાર્યક્રમ નક્કી થઈ જાય પછી છેલ્લી ઘડીએ ના બદલી શકાય. ત્યારે જઈને ICCએ સ્કોટલેન્ડને સામેલ કરવું પડ્યું. પાકિસ્તાન જ બાંગ્લાદેશને ગેરમાર્ગે લઈ ગયું. પાકિસ્તાન કારણ વગર આ વિવાદમાં ઝંપલાવે છે. બાંગ્લાદેશને ઉશ્કેરવામાં તેનો મોટો હાથ છે. આ ખોટું કહેવાય. 

#WATCH | Delhi | On Scotland will replace Bangladesh at the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, “We wanted Bangladesh to play and we also assured full security, but since they have made this decision, it is very difficult to change the entire… pic.twitter.com/HZ7XecHOAX

— ANI (@ANI) January 26, 2026

પાકિસ્તાન ભારત સામેની મેચનો બહિષ્કાર કરે તેવી શક્યતા
ICCએ ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત બાંગ્લાદેશના સમર્થનમાં ICCને ધમકી આપી રહ્યું છે. એવામાં પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાન ભારત સાથેની મેચોનો બૉયકોટ કરી શકે છે. જોકે જો પાકિસ્તાન સમગ્ર ટુર્નામેન્ટનો જ બહિષ્કાર કરે તો ICC કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે. એવામાં હવે પાકિસ્તાન સરકાર તથા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ એવી ચર્ચા ચાલી રહી છે કે ટુર્નામેન્ટમાં ભારત સિવાયની જ મેચોમાં રમીએ. જો પાકિસ્તાન ભારત સાથેની મેચનો બહિષ્કાર કરે તો તેને બે પોઈન્ટનું નુકસાન થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવીએ કહ્યું છે કે અમે પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સાથે ચર્ચા વિચારણા બાદ નિર્ણયની જાહેરાત કરીશું. 

ભારત સાથે પંગો લેવામાં બાંગ્લાદેશ ‘ક્લીન બોલ્ડ’, સ્કોટલેન્ડને મળી ‘ફ્રી હિટ’
ICCએ ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશને બહાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ન રમવાની જીદે ચઢેલા બાંગ્લાદેશને બદલે હવે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટ રમશે. સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. ICCએ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના આ અંગે પત્ર પણ લખ્યો છે. બાંગ્લાદેશની હકાલપટ્ટી બાદ હવે સ્કોટલેન્ડની ગ્રુપ-Cમાં એન્ટ્રી થઈ છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી સામેલ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ સપ્તાહથી ICC અને બાંગ્લાદેશ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બાંગ્લાદેશની જીદ હતી કે તેમની ટીમ ભારત નહીં આવે અને તેમની મેચો પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જોકે ICCએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ટુર્નામેન્ટમાં રહેવું હોય તો ભારત આવીને જ રમવું પડશે. ICC બોર્ડની મીટિંગમાં પણ 14-2થી બાંગ્લાદેશની મેચો ભારતમાં જ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે બાંગ્લાદેશનો દાવો હતો કે ભારતમાં તેમના ખેલાડીની સુરક્ષાનો ખતરો રહેશે. 

બાંગ્લાદેશે ભારત સાથે કેમ પંગો લીધો હતો?
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ગમે તે ભોગે તેમની ટીમ ભારત તો નહીં જ આવે. નોંધનીય છે કે બાંગ્લાદેશ ભારત સાથે પંગો લઈ રહ્યું છે તે વિવાદનું મૂળ IPL સાથે જોડાયેલું છે. હાલમાં જ IPLમાંથી બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારથી જ બાંગ્લાદેશ રોષે ભરાયેલું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાના કારણે IPLમાં બાંગ્લાદેશી ખેલાડીનો વિરોધ થયો હતો. ભારે આક્રોશ અને વિરોધના કારણે તેને IPLમાંથી રીલીઝ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.