એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી

એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરૂદ્ધ વિપક્ષની રેલીમાં અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના પ્રત્યાઘાતે એનડીએએ 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બિહાર બંધનું એલાન કર્યું છે. રાજ્યમાં 4 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વ્યવસાયિક, શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. એનડીએ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાત વડાપ્રધાન અને તેમના પરિવારમાં થયેલા અપમાનને લઈને વિરોધ પ્રદર્શનો માટે કરવામાં આવી છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા મહિનામાં આરજેડી-કોંગ્રેસની રેલીમાં તેમના માતા હીરાબેન મોદા વિરૂદ્ધ અપશબ્દો બોલવામાં આવ્યા હતા, જે માત્ર તેમના માટે જ નહીં, પરંતુ દેશની તમામ માતા અને બહેનો માટે અપમાનજનક છે.

વડાપ્રધાનએ જણાવ્યું કે, “માતા તો આપણું સ્વાભિમાન છે. હું માફ કરી દઈશ, પરંતુ ભારતની ધરતી આ અપમાનને ક્યારેય માફ નહીં કરશે.” પીએમ મોદાએ વિપક્ષને છઠી મૈયા પાસે માફી માગવા અનુરોધ કર્યો છે અને કહ્યું કે મહિલા વિરોધી માનસિકતા સત્તામાં આવે તો માતા-બહેનોને તકલીફ સહન કરવી પડશે.

વડાપ્રધાન મોદાએ રાજ્ય જીવિકા નીધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુલી ઉદ્ધાટન કરતી વખતે કહ્યું કે, તેમની માતાએ ગરીબીમાંથી પરિવારને બહાર કાઢવા અવિરત મહેનત કરી, બીમારીમાં પણ કામ કર્યું અને બાળકો માટે દર પાઈ પાઈ બચાવી. આ પ્રસંગે તેમણે દેશના 20 લાખ મહિલાઓને સંબોધતાં જણાવ્યું કે, મહિલાઓની મહેનત અને યોગદાનને હંમેશા માન આપવું જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published.