પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત

પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત

યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત તે સમયે જ થશે જ્યારે ચોક્કસ પરિણામ મળશે.”

પુતિન એ યુક્રેન સાથે સમાધાન અંગે વાત કરવા છતાં પોતાની મૌલિક માંગણીઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમાં યુક્રેન દ્વારા નાટો જોડાવાની ઈચ્છા છોડવી અને રશિયન ભાષીઓ પ્રત્યે ભેદભાવ બંધ કરવો આવરી લેવાયેલ છે. પુતિન એ હૂંકાર ભર્યો કે જો વાતચીત ન થઈ, તો યુદ્ધ પૂર્ણ કરવા માટે મોસ્કો જરૂરી સૈન્ય પગલાં લઈ શકે છે.

જોકે, કીવ (યુક્રેન) મોસ્કોને મંત્રણા સ્થળ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને આ વિચારને અસ્વીકાર્ય ગણાવ્યો છે. આ દરમિયાન, ઝેલેન્સ્કી વોશિંગ્ટન અને યુરોપીયન દેશોને રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવા વિનંતી કરી રહ્યા છે. ટ્રમ્પે નેતાઓને મળીને રાજદ્વારી પ્રયાસો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, સાથે ચેતવણી આપી છે કે નિષ્ફળતા થાય તો રશિયા પર વધારાના પ્રતિબંધો લાગુ થઈ શકે છે.

પુતિન એ સ્પષ્ટ કર્યું કે રશિયા યુદ્ધને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવું પસંદ કરશે, પરંતુ પોતાના દાવાઓ, જેમાં ચાર યુક્રેનિયન પ્રદેશો પર કબજો પણ સમાવિષ્ટ છે, છોડશે નહીં. તેઓએ જણાવ્યું કે આ વિસ્તારો પર કીવ અને પશ્ચિમ દેશો ગેરકાયદેસર રીતે દાવો કરે છે.

 

Leave a Reply

Your email address will not be published.