કેન્દ્રીય સરકારની GST નીતિમાં બદલાવ અંગે કોંગ્રેસે NDA પર કટાક્ષ કર્યો છે. પાર્ટીનો દાવો છે કે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહ અવગણાઈ રહી હતી, પરંતુ હજી કરેલા તાજેતરના ફેરફારો એ દર્શાવે છે કે અંતે NDAએ તેમની સલાહ સ્વીકારી લીધી. કોંગ્રેસે GST 2.0 હેતુથી વ્યાપક દર ઘટાડો અને મહત્વના માલ-સામાન પર GST ઘટાડવાનો તેમજ MSME માટે ટેક્સના બોજમાં ઘટાડો કરવાની માગ કરી હતી, પરંતુ અગાઉ આ માગણીઓ અવગણાઈ રહી હતી.
રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે GST કાઉન્સિલની ભૂમિકા પર પ્રશ્ન ઊભા કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, GST કાઉન્સિલની બેઠક પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધારાની ડેડલાઈન આપી હતી. GST 1.0માં ખામીઓની Congressએ 2017માં નોંધ કરી હતી, પરંતુ સરકાર દ્વારા તેને અવગણવામાં આવ્યું. હવે, 22 સપ્ટેમ્બરે લાગુ થનારા ફેરફારમાં માત્ર 5% અને 18% સ્લેબ લાગુ થશે અને કેટલીક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર GSTને શૂન્ય કરાશે.
કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાહુલ ગાંધીના 2016ના ટ્વીટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, “અંતે રાહુલ ગાંધીની સલાહ પર અમલ થયો છે, પરંતુ તેઓએ આ માટે લાંબા સમય સુધી રાહ કેમ કરાવી?” એ ફેરફાર ગ્રાહકો માટે લાભકારક થશે અને MSME ઉદ્યોગોને ટેક્સના બોજમાંથી મુક્તિ મળી શકે તે જોવા રહેવું પડશે.

Leave a Reply