દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનિયાએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.
માહિતી અનુસાર, સોનિયાનું નામ 1980માં નવી દિલ્હીની મતદાર યાદીમાં ઉમેરાયું હતું, જ્યારે તેઓ એપ્રિલ 1983માં જ ભારતીય નાગરિક બન્યા હતા. ફરિયાદીનો દાવો છે કે આ માટે ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, જે ગંભીર ગુનો છે.
આ મામલો ગુરુવારે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયાની કોર્ટમાં રજૂ થયો હતો. કોર્ટે ફરિયાદીની દલીલોને સંતોષકારક ગણાવી અને કેસની આગામી સુનાવણી 10 સપ્ટેમ્બર માટે નક્કી કરી છે.
તાજેતરમાં ભાજપના નેતા અમિત માલવિયાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે કાયદાનો ભંગ કરીને સોનિયા ગાંધીનું નામ 1980માં જ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ 1983માં નાગરિક બન્યા હતા.

Leave a Reply