અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર

અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર

અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે. SOPનું પાલન ન કરનારા આયોજકોને ઇવેન્ટની મંજૂરી આપવામાં નહીં આવે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કરે જણાવ્યું કે અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન લાખો લોકો ગરબામાં ભાગ લે છે, તેથી લોકોની સલામતીને પ્રાથમિકતા આપી SOP ફરજિયાત અમલમાં મૂકાઈ છે.

SOP મુજબ આયોજકોને ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, ટ્રાફિક અને કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગોની મંજૂરી પણ લેવી પડશે.

SOPની મુખ્ય જોગવાઈઓમાં મંડપ-પંડાલને સ્કૂલ

હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર બનાવવો

ફાયર વાહનો માટે માર્ગ ખુલ્લો રાખવો

બે વિરુદ્ધ દિશામાં ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવી

બેઠક વ્યવસ્થા અને બહાર નીકળવાના રસ્તા વચ્ચેનું અંતર 15 મીટરથી વધુ ન હોવું

પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રાખવી

જ્વલનશીલ પદાર્થ પંડાલમાં ન રાખવા

ઇલેક્ટ્રિક જંકશન બોર્ડ યોગ્ય અંતરે મૂકવા અને ઓટો ગ્લો સાઇનબોર્ડ દ્વારા એક્ઝિટ સ્પષ્ટ દર્શાવવીનો સમાવેશ થાય છે.

ઉપરાંત, મંડપ પરિસરમાં 6 કિલોના બે ફાયર એક્ષટીંગ્યુશર, 4.5 કિલોના બે CO2 ફાયર એક્ષટીંગ્યુશર, 200 લિટર પાણી ભરેલા ડ્રમ અને રેતી ભરેલી બે ડોલ ફરજિયાત રાખવાની રહેશે. જો સ્ક્રીન હોય તો ફાયર સેફ્ટી અંગેની ફિલ્મ પ્રદર્શિત કરવી રહેશે.

 

Leave a Reply

Your email address will not be published.