ભારતે ગુરુવારે મોરેશિયસ માટે 655 મિલિયન યુએસ ડોલરથી વધુના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સાથે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે 7 મહત્વપૂર્ણ કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
બંને દેશોના સંબંધોને માત્ર ભાગીદારી નહીં પરંતુ પરિવારની જેમ માન્યતા આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુક્ત, સ્થિર, ખુલ્લો અને સમૃદ્ધ હિંદ મહાસાગર બંને દેશોની સહિયારી પ્રાથમિકતા છે. તેમણે મોરેશિયસમાં UPI અને RuPay કાર્ડના સફળ અમલીકરણ બાદ, સ્થાનિક ચલણમાં દ્વિપક્ષીય વેપારને સક્ષમ બનાવવા માટે બંને દેશ કામ કરશે, એમ જણાવ્યું.
આ વિશેષ આર્થિક પેકેજ હેઠળ ભારત મોરેશિયસને ઓછામાં ઓછા 10 પ્રોજેક્ટ્સના અમલીકરણમાં મદદ કરશે, જેમાં બંદરો, એરપોર્ટ અને મુખ્ય માર્ગો જેવી માળખાગત સુવિધાઓના વિકાસ, નવી શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ કહ્યું, “આ પેકેજ મદદ નથી, પરંતુ આપણા ભવિષ્ય માટેનું રોકાણ છે.” 7 કરારો વિવિધ ક્ષેત્રો માટે કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ, વીજળી, જળવિજ્ઞાન અને અવકાશ સંશોધનનો સમાવેશ થાય છે.
સૌથી મહત્વપૂર્ણ કરારોમાંથી એક જળવિજ્ઞાન પર આધારિત છે, જેમાં મોરેશિયસના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રો, નેવિગેશન ચાર્ટ અને હાઇડ્રોગ્રાફિક ડેટાના સંયુક્ત સર્વેક્ષણ માટે સહયોગ રહેશે.
વધુમાં, ઉપગ્રહો અને પ્રક્ષેપણ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમ્યુનિકેશન સ્ટેશનો સ્થાપિત કરવા માટે અને અવકાશ સંશોધન, વિજ્ઞાન અને એપ્લિકેશન ક્ષેત્રમાં સહયોગ માટે પણ કરારો થયા છે.
પીએમ મોદીએ કહ્યું, “ભારત અને મોરેશિયસ બે અલગ અલગ દેશ છે, પરંતુ આપણા સપના અને ભાગ્ય એક જ છે.” મોદીએ ચાગોસ ટાપુઓ અંગે મોરેશિયસને મળેલા તાજેતરના નિર્ણય પર અભિનંદન આપ્યા અને તેને ટાપુ રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે ઐતિહાસિક વિજય ગણાવ્યો.
વર્ષ 2025ના મે મહિનામાં, યુનાઇટેડ કિંગડમે ડિએગો ગાર્સિયાનુ ઉષ્ણકટિબંધીય એટોલ સહિત ચાગોસ ટાપુઓ મોરેશિયસને સોંપવાનો નિર્ણય કર્યો હતો, જે 50 વર્ષથી વધુ સમય સુધી બ્રિટનની હસ્તકક્ષતા હેઠળ હતા.
મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ હાલમાં 8 દિવસની ભારત મુલાકાત પર છે અને તેમના નિવાસસ્થાન તરીકે વારાણસી પસંદ કરાયા, જ્યાં પીએમ મોદીએ તેમને મળ્યા. આ પહેલા ક્યારેય કોઈ રાજ્યના વડા વારાણસીમાં આવ્યાં ન હતા.

Leave a Reply