મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું

મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો.

Mizoram gets its first railway line connecting capital Aizawl. Key details  - India Today

મોદીએ જણાવ્યું કે આજનો દિવસ માત્ર મિઝોરમ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હવે આઇઝોલને ભારતના રેલ્વે નકશામાં સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેઓ આઇઝોલના લમ્મુઆલ ગ્રાઉન્ડ પર જઈ શક્યા ન હતા, પરંતુ લેંગપુઈ એરપોર્ટ પરથી જ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.

અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે વડાપ્રધાનને હેલિકોપ્ટર મારફતે મુસાફરી શક્ય ન હતી. તેમ છતાં, તેમણે એરપોર્ટ પરથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી લોકોને સંબોધ્યા.

મિઝોરમ બાદ વડાપ્રધાન મણિપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ 8,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

 

Leave a Reply

Your email address will not be published.