નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતાં GST 2.0ના નવા દરો જાહેર કર્યા છે, જે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. તાજેતરમાં 3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હાલના 5%, 12%, 18% અને 28% ના ચાર GST દરો દૂર કરી ફક્ત 5% અને 18%ના બે દર જ લાગુ થશે.
આ નિર્ણયથી તેલ, સાબુ, શેમ્પૂ, દૂધ, માખણ, ઘી, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી, બાઇક અને કાર સહિત અનેક ચીજો સસ્તી થશે.
જો દુકાનદારો નવા દરો લાગુ થયા પછી પણ જૂના ભાવે વસ્તુઓ વેચે તો ગ્રાહકોને કાનૂની રીતે ફરિયાદ કરવાનો અધિકાર છે. સરકાર દ્વારા ગ્રાહકો માટે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) ઉપલબ્ધ છે.
ફરિયાદ નોંધાવવા માટે ટોલ-ફ્રી નંબર 1800-11-4000 અથવા 1915 પર કૉલ કરી શકાય છે. સાથે જ WhatsApp પર 8800001915 પર મેસેજ મોકલીને પણ ફરિયાદ કરી શકાય છે.

ફરિયાદ ઑનલાઇન નોંધાવવા માટે consumerhelpline.gov.in વેબસાઇટ પર સાઇન અપ કરીને લોગ ઇન કરવું પડે છે અને ફરિયાદ નોંધાવી શકાય છે. નોંધાવ્યા પછી ડોકેટ નંબર મળે છે, જેના આધારે ફરિયાદ ટ્રેક કરી શકાય છે. આ ઉપરાંત, NCHની મોબાઇલ એપ્લિકેશન અથવા UMANG એપ મારફતે પણ ફરિયાદ કરી શકાય છે.
જો દુકાનદાર અથવા કંપની તરફથી કોઈ જવાબ ન મળે તો ગ્રાહકો પોતાના શહેર અથવા રાજ્યના કોઈપણ ગ્રાહક ફોરમમાં કેસ દાખલ કરી શકે છે. ગ્રાહક ફોરમ વિશેની વિગત પણ સત્તાવાર વેબસાઇટના ફોરમ વિભાગમાં ઉપલબ્ધ છે.

Leave a Reply