ચૂંટણી પંચે નોંધપાત્ર પગલું ભરતાં છેલ્લા છ વર્ષથી ચૂંટણી ન લડનારા 474 નોંધાયેલ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. આ કાર્યવાહી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષે પોતાની માન્યતા જાળવવા માટે નિયમિતપણે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવું આવશ્યક છે.
આગસ્ટ 2025થી અત્યાર સુધી કુલ 808 પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે. પહેલો તબક્કો 9 ઓગસ્ટે પૂર્ણ થયો હતો, જ્યારે બીજો તબક્કો 18 સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચે જણાવ્યું કે ઘણા પક્ષો છેલ્લા છ વર્ષથી કોઈપણ ચૂંટણીમાં ભાગ લીધા વગર કર મુક્તિ અને અન્ય સરકારી છૂટછાટોનો લાભ લઈ રહ્યા હતા. આવા પક્ષો સામે આ પગલું લેવાયું છે.

રાજકીય પક્ષોની નોંધણી માટેની માર્ગદર્શિકાઓ મુજબ, જો કોઈ પક્ષ સતત છ વર્ષ સુધી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લેતો નથી, તો ચૂંટણી પંચને તેની નોંધણી રદ કરવાનો અધિકાર છે.
આ કાર્યવાહીનો હેતુ રાજકીય વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવાનો અને ખોટી રીતે છૂટછાટો મેળવતા પક્ષોને દૂર કરવાનો છે.

Leave a Reply