મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના બૈલાર્ડ પિયર ખાતે સ્થિત અત્યાધુનિક મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ (MICT) નું ઉદ્ઘાટન કર્યું.
આ ટર્મિનલ ક્રૂઝ ભારત મિશન હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જે ભારતની સમુદ્રી અવસથાપનાને મજબૂત બનાવશે અને મુંબઈને એક અગત્યના ક્રૂઝ પર્યટન હબ તરીકે વિકસાવશે.
મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ 4,15,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને દર વર્ષે લગભગ 10 લાખ મુસાફરોને સંભાળી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
એકસાથે પાંચ ક્રૂઝ જહાજો રોકાઈ શકે એવી સુવિધા સાથે 72 ચેક-ઇન અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ બનાવવામાં આવ્યા છે જેથી યાત્રિકોને ઝડપી, સહજ અને આધુનિક અનુભવ મળી શકે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે મુંબઈનો સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ આપણા દેશની સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે. તેમણે વધુમાં કહ્યું કે આ ટર્મિનલ વડા પ્રધાન મોદીના વિઝન સાથે સુસંગત છે જે ભારતને વૈશ્વિક ક્રૂઝ હબ બનાવવા માટે કાર્યરત છે.
આ પ્રસંગે વિક્ટોરિયા ડોક ખાતે નવીનીકરણ કરાયેલ ફાયર મેમોરિયલ, પોર્ટ હાઉસ અને એવલિન હાઉસ ખાતે હેરિટેજ લાઇટિંગ અને સાગર ઉપવન ગાર્ડન જેવા પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલો સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહિત કરશે અને પર્યાવરણીય ટકાઉપણું મજબૂત બનાવશે.
અપેક્ષા છે કે MICTના કારણે ભારતના ક્રૂઝ પર્યટન ક્ષેત્રને મોટો વેગ મળશે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષશે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Leave a Reply