બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બરે વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, ત્યારબાદ તારીખોની જાહેરાત શક્ય છે.
ચૂંટણી પંચની યોજના અનુસાર, મતદાન દુર્ગા પૂજા અને દિવાળી વચ્ચે, 2 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન યોજાવાનું અનુમાન છે. આ વખતે ચૂંટણી બે થી ત્રણ તબક્કામાં યોજાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચહલપહલ વધી રહી છે અને પક્ષોએ ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે.
ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં SIR પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ રાજ્યોને SIR માટે વિગતવાર માર્ગદર્શિકા આપી હતી.
સૂચના મુજબ, જૂની મતદાર યાદીઓને વર્તમાન યાદીઓ સાથે મેળ કરવો, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ અને દૂર કરવાનું કામ પૂર્ણ કરવાનું રહેશે. છેલ્લો SIR 2002 અને 2004 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.
બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. 2020ની ચૂંટણીમાં NDA એ બહુમતી મેળવી હતી, જેમાં BJP પાસે 78, JDU પાસે 45 અને જીતન રામ માંઝી પાસે 4 બેઠકો હતી.
મહાગઠબંધન પાસે કુલ 110 બેઠકો છે, જેમાં RJD પાસે 75, કોંગ્રેસ પાસે 19 અને ડાબેરી પક્ષો પાસે 16 બેઠકો છે. બદલાતા રાજકીય સમીકરણોને કારણે આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.

Leave a Reply