કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં તેમણે કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજન દરમ્યાન ગૃહ મંત્રીએ યજ્ઞમાં આહૂતિ આપી અને મંદિરના દાતાઓ-શ્રેષ્ઠીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા. આ મંદિર 3.51 લાખ ચોરસ ફૂટમાં વિકસાવવામાં આવશે અને ધાર્મિક ઉપરાંત સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે.
ભૂમિપૂજનની વિધિ દરમિયાન અમિત શાહે સી.આર. પાટીલને પોતાની નજીક બોલાવી પૂજામાં સામેલ કરવામાં આવ્યો. પાટીલે પ્રસંગને ઐતિહાસિક ગણાવી અને પોતાના શુભેચ્છાઓ વ્યક્ત કર્યા. ભૂમિપૂજન પછી મંત્રીએ મંદિરના આધ્યાત્મિક મહત્વ અને વિકાસ પર પ્રકાશ પાડ્યો.
સુરતમાં પહોંચતાં અમિત શાહે પાટીલના નિવાસસ્થાને રાત્રી ભોજન લીધો અને સુરત સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું.
આ દરમિયાન તેમણે ઇસ્કોન મંદિરની સાથોસાથ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં પણ હાજરી આપી. સાથે સાથે, અમિત શાહે X પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને GST સુધારા અંગેની જાહેરાત કરી.
તેમણે જણાવ્યું કે, નવું NEXT-Gen GST ફ્રેમવર્ક દેશભરના નાગરિકોને રાહત આપશે, જેમાં 390થી વધુ વસ્તુઓ પર કરમાં ઘટાડો થશે.
ખાદ્યસામાન, ઘરગથ્થુ, ઓટોમોબાઈલ્સ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોમાં આ સુધારા નાગરિકોની બચત અને જીવનમાનમાં વધારો કરશે.
Leave a Reply