જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડી પાડ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા ગામના રહેવાસી સિરાજ ખાન તરીકે થઈ છે. પ્રારંભિક પૂછપરછમાં ખુલ્યું છે કે સિરાજ ખાન ભારતીય અભિનેત્રી અવનીત કૌરને મળવા માટે ઘૂસણખોરી કરવા આવ્યો હતો. હાલ બીએસએફ અને અન્ય...
Author: Inside Media Network (Aarohi Patel)
વડોદરાની તરૂણનગર સોસાયટી વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ, રહીશો પરેશાન
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટી છેલ્લા દસ વર્ષથી ભારે વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. 29 મકાનવાળી આ સોસાયટીમાં મોટાભાગે 70 થી 80 વર્ષની વયના વયોવૃદ્ધ લોકો વસે છે, જેઓને વરસાદી પાણી અને ગટરના બેકમારીને કારણે ઘરમાંથી બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ઘરોમાં...
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ગરબા મહોત્સવ: ઉદયપુરમાં પ્રી-નવરાત્રી, દિલ્હી ખાતે શરદપૂનમે પોસ્ટ-નવરાત્રી ઉજવણી
ગુજરાતના લોકપ્રિય લોકનૃત્ય ગરબા, જેને યુનેસ્કોએ માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા આપી છે, હવે રાજ્યની બહાર પણ રમાડાશે. ગુજરાત સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રથમવાર ઉદયપુર અને દિલ્હી ખાતે વિશાળ ગરબા મહોત્સવ યોજાવાનો છે. આગામી 14 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 7:30 કલાકે ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ 2025”નું ભવ્ય આયોજન...
કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાતે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે, જ્યારે અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....
દિલ્હી નજીક ફરિદાબાદમાં એસી બ્લાસ્ટથી એક જ પરિવારના 3 સભ્યોનાં દુર્ઘટનાજનક મોત
દિલ્હી નજીક હરિયાણાના ફરિદાબાદ જિલ્લામાં રવિવારે મોડી રાત્રે હૃદયદ્રાવક ઘટના બની. ગ્રીન ફિલ્ડ કોલોની સ્થિત એક ફ્લેટમાં એસીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા જ્યારે તેમનો પાલતુ શ્વાન પણ જીવ ગુમાવ્યો. જોરદાર ધડાકા બાદ ઘરમાં ધૂમાડો ફેલાઈ ગયો અને ગૂંગળામણને કારણે પરિવારના સભ્યો બહાર નીકળી...
ઈંગ્લેન્ડે વનડે ક્રિકેટમાં 342 રનની સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ભારત બે વખત ટોપ-5માં
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે વનડે ઇતિહાસનો સૌથી મોટો વિજય હાંસલ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સાઉથથેમ્પટનમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 342 રનથી હરાવીને રનની દ્રષ્ટિએ ODI ક્રિકેટની સૌથી મોટી જીતનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે ભારતને પાછળ ધકેલીને પ્રથમ ક્રમ મેળવી લીધો છે. ટીમ ઈન્ડિયા હવે બીજા ક્રમે છે. 2023માં...
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Z રિવોલ્યૂશન, ફાયરિંગમાં વિદ્યાર્થીના મોતથી બબાલ
કાઠમંડુ સહિત નેપાળના મોટા શહેરોમાં આજે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ યુવાનોનું Gen-Z રિવોલ્યૂશન ભભૂકી ઉઠ્યું. વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય સામે હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું. પ્રદર્શન ઉગ્ર બનતાં કાર્યકરોએ...
TET ફરજિયાતના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરના શિક્ષકોમાં વિરોધ, સંઘે સંશોધનની માગ ઉઠાવી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું કે હવે શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણય બાદ દેશભરના શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને શિક્ષક સંઘોએ વિરોધની તૈયારી શરૂ કરી છે. અખિલ ભારતીય પ્રાથમિક સંઘે સ્પષ્ટ કર્યું છે...
ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સાંસદોની વિચારમંથન માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રવિવારે સંસદ પરિસરમાં શરૂ થયું. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ સાંસદોએ ભાગ લીધો. અહીં પીએમ મોદીનો સાદગીભર્યો અને અનોખો અંદાજ જોવા મળ્યો – તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ...
હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, રેલવે ટ્રેકને નુકસાન થતાં ટ્રેન વ્યવહાર ઠપ
ઉત્તરાખંડના હરિદ્વારમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે મનસા દેવી હિલ્સ નજીક આવેલા ભીમગોડા રેલ્વે ટનલ અને કાળી માતા મંદિર વિસ્તારનો પર્વતનો મોટો ભાગ તૂટી પડ્યો. આ અચાનક બનેલા ભૂસ્ખલનના કારણે દેહરાદૂન–હરિદ્વાર રૂટ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. માહિતી મુજબ, કાળી માતા મંદિર પાસે પર્વત તૂટી પડતાં ભારે માત્રામાં માટી અને ખડકો...









