લંડનમાં શનિવારે યૂનાઈટ ધ કિંગડમ માર્ચના નામે યોજાયેલા એન્ટી-ઈમિગ્રેશન દેખાવમાં આશરે 1.10 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. તાજેતરના ઇતિહાસમાં જમણેરી સંગઠનોના આ સૌથી મોટા દેખાવ છે. આંદોલનનું નેતૃત્વ ટોમી રોબિન્સન (અસલ નામ સ્ટીફન યેક્સલી-લેનન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ કૂચને “અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઉજવણી” ગણાવી અને તાજેતરમાં હત્યા થયેલા અમેરિકન જમણેરી નેતા ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ...
Category: BREAKING NEWS
જાસ્મીન લેમ્બોરિયા બન્યા ભારતના પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા
ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ ઇતિહાસ રચ્યો છે. શનિવાર, 13 સપ્ટેમ્બર, 2025ના રોજ લિવરપૂલ, ઇંગ્લૅન્ડમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 57 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં પોલેન્ડની જુલિયા સેરેમેટાને 4-1ના સ્પ્લિટ ડિસિઝનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ખાસ વાત એ છે કે જુલિયાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. વિજય બાદ Olympics.com સાથે વાત કરતાં જાસ્મીને કહ્યું, “આ અનુભવ શબ્દોમાં...
મિઝોરમને રેલ્વે નેટવર્ક સાથે જોડાયું: વડાપ્રધાન મોદીએ બૈરાબી-સૈરાંગ લાઇનનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસના ભાગરૂપે શનિવારે મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને ઐતિહાસિક રેલ્વે પ્રોજેક્ટની ભેટ આપી. વડાપ્રધાને પહેલીવાર મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ તેમણે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી અને 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કર્યો. મોદીએ જણાવ્યું...
નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાની વડાંપ્રધાન બન્યાં, ભારતે વ્યક્ત કર્યું સમર્થન
નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ શુક્રવારે રાત્રે વચગાળાના વડાંપ્રધાન તરીકે શપથ લીધો. 73 વર્ષની કાર્કી દેશની પ્રથમ મહિલા વડાંપ્રધાન બની છે. કાઠમાંડુ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલे તેમને શપથ અપાવ્યો. સમારંભમાં મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા દળોના વડાઓ અને રાજદ્વારી સમુદાયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પૂર્વ વડાંપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા...
કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત
કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઈટમાં શુક્રવારે બપોરે ટેકઓફ બાદ મોટો ટેકનિકલ ખામીનો બનાવ બન્યો હતો. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ તેનું એક પૈડું તૂટી રનવે પર પડી ગયું હતું. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ તરત જ પાયલોટને જાણ કરી અને મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને ઈમરજન્સી જાહેર કરવા સૂચના આપી. મુસાફરોના જીવનને જોખમમાં મૂક્યા...
નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ભારતીય વૉલીબૉલ ટીમનો સફળ બચાવ, દૂતાવાસની ત્વરિત કાર્યવાહી
નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે પ્રશંસનીય ઝડપ દર્શાવી ભારતીય વૉલીબૉલ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ ઘટના ત્યારે ચર્ચામાં આવી જ્યારે ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઉપાસના ગિલ વૉલીબૉલ લીગ માટે નેપાળના પોખરા શહેરમાં હતી, પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે અને ટીમના સભ્યો ફસાઈ...
હિંસા બાદ PM મોદીનો મણિપુર પ્રવાસ: વિસ્થાપિતો સાથે સંવાદ અને 8500 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર રાજ્યની મુલાકાતે જઈ રહ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે બપોરે 12.15 વાગ્યે મિઝોરમની રાજધાની આઇઝોલથી ચુરાચાંદપુર પહોંચશે, જ્યાં તેઓ વિસ્થાપિત લોકો સાથે સીધો સંવાદ કરશે અને રાજ્યના વિકાસને નવી દિશા આપવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. માર્ચ 2023થી...
સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ
નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર...
સિક્કિમમાં મોડી રાત્રે ભૂસ્ખલન: 4ના મોત, 3 લોકો હજુ ગુમ, પોલીસ-SSBનું રેસ્ક્યુ ઓપરેશન
પશ્ચિમી સિક્કિમના યાંગથાંગ વિસ્તારમાં ગુરુવાર (11 સપ્ટેમ્બર) મોડી રાત્રે ભારે વરસાદ બાદ વિનાશકારી ભૂસ્ખલન સર્જાયું. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો હજુ પણ ગુમ છે. સિક્કિમ પોલીસ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં અધિકારીઓને તોફાની પાણી અને તેજ વહેતા પ્રવાહમાં દોરડા અને ટેકો લઈને ઉભા રહી બચાવ કામગીરી કરતા જોવા મળ્યા હતા. પોલીસ...
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે અને ક્વાડ સમિટમાં હાજરી આપી શકે છે. નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરેએ શુક્રવારે જણાવ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠક માટે ભારત આવવાની સંભાવના છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તારીખ હજી નક્કી નથી. ગોરેએ કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે ચર્ચા થઈ રહી છે. ચોક્કસ...









