Category: INDIA

Home » INDIA » Page 80
ભારે વરસાદમાં ટળી મોટી દુર્ઘટના, મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું એર ઇન્ડિયાનું વિમાન
Post

ભારે વરસાદમાં ટળી મોટી દુર્ઘટના, મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું એર ઇન્ડિયાનું વિમાન

મુંબઈમાં વરસતા વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. 21 જુલાઈના રોજ કોચીથી મુંબઈ આવી રહેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નંબર AI2744) મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસ્યું હતું. ભારે વરસાદ અને ભીના રનવેના કારણે વિમાનનું સંચાલન મુશ્કેલ બન્યું હતું. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે...

કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન
Post

કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદનનું તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને ગયા મહિને હૃદયરોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી કેરળના રાજકારણમાં એક યુગનો અંત થયો...

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓ સહીત અનેક નેતાઓની હાજરી
Post

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓ સહીત અનેક નેતાઓની હાજરી

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે દેશમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર આક્ષેપપ્રત્યાઆક્ષેપ થયા. પરંતુ આ તમામ રાજકીય ગરમાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ ભવનમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, આરોગ્ય...

પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ
Post

પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત...

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા
Post

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા

ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મીનાક્ષી લેખી તિબેટના દાર્ચિન વિસ્તારમાં યાત્રા દરમિયાન ઘોડા પરથી પડી ગયા હતા, જેના પરિણામે તેમની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર માટે તેમને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ઘટના પછી તિબેટથી...

રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન
Post

રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન

ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ત્રણ આરોપીઓને જામીન મળતાં તપાસ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા છે. શિલોંગ પોલીસની તપાસ પર હવે સંશય વ્યક્ત થવા લાગ્યો છે, કારણ કે આરોપીઓ લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને હજી ચાર્જશીટ દાખલ થયા વિના જામીન મળ્યા છે. આ માહિતી મળતાં...

એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો
Post

એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 20 જુલાઈ, રવિવારે, અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે વેસ્ટર્ન મીડિયા દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સ્પષ્ટ વિલક્ષણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે. નાયડુએ એમ પણ જણાવ્યું કે, અગાઉના કેસોમાં વિમાન દુર્ઘટનાના...

સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર
Post

સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર

ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....

Post

સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકાર તૈયાર: કિરેન રિજિજુ

ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આજે સંસદ ભવનમાં મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક મળી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મીડિયાને માહિતી આપી હતી કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પણ ચર્ચા સંસદના નિયમો હેઠળ થશે. બધા...

મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી vs હિન્દી ભાષા વિવાદ: મહિલાઓ વચ્ચે ઉગ્ર ઝઘડો, વિડિયો વાયરલ
Post

મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી vs હિન્દી ભાષા વિવાદ: મહિલાઓ વચ્ચે ઉગ્ર ઝઘડો, વિડિયો વાયરલ

મુંબઈમાં ભાષા પર આધારીત વિવાદ હવે લોકલ ટ્રેન સુધી પહોંચી ગયો છે. શુક્રવાર સાંજે સેન્ટ્રલ લાઇનની એક લોકલ ટ્રેનના મહિલા કોચમાં મહિલા મુસાફરો વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલીનો મામલો ઉગ્ર ભાષા વિવાદમાં ફેરવાઈ ગયો. ટ્રેનમાં ઝઘડો: ‘મરાઠી બોલો નહીં તો બહાર નીકળો’ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો મુજબ, એક મહિલા બીજી મહિલાને ચીમકી આપે છે:...