ભારત અને માલદીવ વચ્ચે દાયકાઓ જૂના સારા સંબંધો ફરી મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25થી 26 જુલાઈ દરમિયાન માલદીવની યાત્રા પર જશે, જ્યાં તેઓ દેશની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ યાત્રા પૂર્વે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતની સહાય માટે ઋણસ્વીકાર વ્યક્ત કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું...
પાંચ વર્ષ પછી ચીનના પ્રવાસીઓ માટે ભારતના દરવાજા ખુલ્યા, 24 જુલાઈથી મળશે ટુરિસ્ટ વિઝા
સંબંધોને સુધારવાના ભાગરૂપે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 24 જુલાઈ 2025થી ચીનના નાગરિકોને ફરી પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો હતો, જેને પગલે ભારતે ચીનના નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધ મુક્યો હતો. હવે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે થતાં સંવાદ...
ઈઝરાયલની યમનને ખુલ્લી ધમકી: “હૂથીઓ હથિયાર ન મૂકે તો યમનને તહેરાન જેવી હાલત ભોગવવી પડશે”
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે યમનના હૂથી বিদ્રોહીઓને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના હથિયાર નથી મૂકે અને હુમલાઓ અટકાવે નહીં, તો યમનની સ્થિતિ પણ ઈરાનની રાજધાની તહેરાન જેવી કરી દેવામાં આવશે. ઇઝરાયલ હાલમાં ગાઝા, ઇરાન, લેબનન અને સીરિયા સામે યુદ્ધ મોરચા ખોલી ચૂક્યું છે. તાજેતરમાં તહેરાન પર તીવ્ર બોમ્બમારો અને મિસાઇલ હુમલાઓ કર્યા...
ઢાકામાં કોલેજ પર બાંગ્લાદેશ એરફોર્સનું એફ-7 ટ્રેનર વિમાન ક્રેશ, 19ના મોત
બાંગ્લાદેશના ઢાકામાં 21 જુલાઈ, 2025ના રોજ એક ગંભીર દુર્ઘટના ઘટી છે જ્યાં બાંગ્લાદેશ એરફોર્સનું એફ-7 ટ્રેનર વિમાન ઉત્તર ઢાકામાં આવેલ માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના કેમ્પસમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 170થી વધુ ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે વિમાનનું પાઇલટ ફર્સ્ટ લેફ્ટિનેન્ટ તૌકીર ઇસ્લામ સાગર પણ શહીદ થયા હતા. ક્રેશ બાદ...
ઇન્ડોનેશિયામાં દરિયા વચ્ચે જહાજમાં લાગી ભીષણ આગ; 5નાં મોત,280થી વધુ મુસાફરો જીવ બચાવવા સમુદ્રમાં કૂદ્યા
ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી નજીક રવિવારે બપોરે એક ભયાનક મેરિટાઇમ દુર્ઘટના બની હતી, જ્યારે ‘KM Barcelona VA’ નામની ફેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે દરિયાની વચ્ચે જ જહાજમાં ફસાયેલા 280થી વધુ મુસાફરોને પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદવાનું પડ્યું જેમાં 5થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાનો સમય સ્થાનિક સમય...
CEO એન્ડી બાયરનનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં રાજીનામું, અંગત જીવનમાં પણ ખલેલ
અમેરિકાની જાણીતી ટેક કંપની એસ્ટ્રોનોમર (Astronomer)ના CEO એન્ડી બાયરન (Andy Byron)એ રાજીનામું આપવાનું ફરજિયાત બની ગયું છે, જ્યારે તેમનો એક અશ્લીલ વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બોસ્ટનમાં કોલ્ડપ્લે (Coldplay)ના કોન્સર્ટ દરમિયાન બની હતી. ‘કિસ કેમ’ દ્વારા કાર્યક્રમમાં હાજર કપલ્સની હરકતો મોટા સ્ક્રીન પર બતાવવામાં આવી રહી હતી ત્યારે કેમેરામાં કેદ થયેલ કપલમાં...
દક્ષિણ ઈરાનમાં ભયંકર રોડ દુર્ઘટના: બસ પલટાતા 21ના મોત, 34 ઘાયલ
દક્ષિણ ઈરાનના ફાર્સ પ્રાંતમાં શનિવારના રોજ એક ભયંકર બસ અકસ્માત થયો છે જેમાં ઘટનાસ્થળે 21 લોકોનાં મૃત્યુ થયાં છે અને 34 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, દુર્ઘટના ફાર્સની રાજધાની શીરાજથી દક્ષિણ તરફ બની હતી. ફાર્સ ઇમરજન્સી ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મસૂદ આબેદે જણાવ્યું કે અકસ્માત સવારના લગભગ 11:05 વાગ્યે થયો હતો. ઘટનાની જાણ...
ઓબામા સામે તુલસી ગેબાર્ડનો આક્ષેપ: ટ્રમ્પને સત્તાથી હટાવવાનું ષડયંત્ર રચાયું હતું!
અમેરિકન ગુપ્તચર વિભાગના વડા તુલસી ગેબાર્ડે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા પર મોટો આરોપ મૂક્યો છે. તુલસીના કહેવા મુજબ ઓબામા અને તેમના ટોચના અધિકારીઓએ 2016ની ચૂંટણી પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ કાવતરું રચ્યું હતું. ગેબાર્ડે કહ્યું કે ટ્રમ્પને સત્તાથી દૂર કરવાનો પ્રયાસ અમેરિકન લોકશાહીની અંદર ખતરનાક ષડયંત્ર હતું. તુલસીએ જણાવ્યું કે ઓબામાના આ પ્રયાસો અમેરિકન નાગરિકોની ઇચ્છાને દબાવવા...
વિદેશી મીડિયા સામે પાયલટ સંગઠનની કાયદાકીય કાર્યવાહી: AI-171 અકસ્માતના કવરેજ પર વિવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે ભારતીય પાયલટ સંગઠન ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલટ્સ (FIP)એ ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને રૉયટર્સ સામે કાનૂની નોટિસ મોકલી છે. FIPનું કહેવું છે કે, વિદેશી મીડિયા હાઉસે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના અકસ્માતને પાયાવિહોણા દાવાઓથી ઝાંકી આપીને પાયલટ્સનું અપમાન કર્યું છે. તેમણે સમાચાર તુરંત પાછા ખેંચવા અને જાહેરમાં માફી માગવાની માગ કરી...
ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે કરેલા દાવા સાથે ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને જેના પરિણામે એક મોટું યુદ્ધ ટળી ગયું હતું. ટ્રમ્પનો દાવો: “ફાઈટર જેટ્સ તોડી પાડાયા, તણાવ હદે પહોંચી ગયો...









