અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ચાર દિવસની અંદર એર ઈન્ડિયાના કુલ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા હતા. નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે 51 કમાન્ડર અને 61 ફ્લાઈટ ઓફિસર્સનું માનસિક સ્વાસ્થ્ય દુર્ઘટના બાદ ખરાબ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે,...
