અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મેહેરબાન થયા છે. અસહ્ય ગરમી અને બફારાને કારણે પરેશાન થયેલા લોકો માટે વરસાદે રાહતનો શ્વાસ લાવ્યો છે. સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાંભા શહેર તેમજ ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા ખૂશખુશાલ થયા છે. ખાંભા, ડેડાણ, માલેકનેસ, રાણીગપરા, દાઢીયાળી, ચતુરી...
