શનિવારે સાંજથી (6 સપ્ટેમ્બર) અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સતત વરસાદના કારણે સાબરનદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના લીધે સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે....


