નર્મદા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાતા અનેક વિસ્તારોમાં ખતરો સર્જાયો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યા છે, જેના પગલે પરિવારમાં દુખનો માહોલ છવાયો છે. માહિતી પ્રમાણે, ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉંમર 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉંમર 12) સ્કૂલમાંથી...
